Skip to main content

ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને બિહારના પ્રથમ મુખ્યમંત્રી બેરિસ્ટર મુહમ્મદ યુનુસ


જો આપણે બેરિસ્ટર મુહમ્મદ યુનુસ જેવા લોકોને યાદ રાખતા તો આજે પરિસ્થિતિ જુદી હોત.

આ 1937 ની વાત છે, જ્યારે તેઓ બિહારના પ્રીમિયર બન્યા, તે દિવસોમાં મુખ્યમંત્રીને પ્રીમિયર કહેવામાં આવતું હતું. શ્રી કૃષ્ણ સિંહને જ આ પદ મળવાનું હતું. કારણ કે એ પ્રથમ ચૂંટણીમાં જ્યારે અંગ્રેજ સરકારે આપણને સ્વરાજ્યનો અધિકાર આપ્યો ત્યારે કોંગ્રેસ અને મો. યુનુસની પાર્ટી, મુસ્લિમ ઈન્ડિપેન્ડન્ટ પાર્ટી (MIP) એ ગઠબંધન કરીને લડ્યા અને સાથે મળીને મુસ્લિમ લીગના સૂપડા સાફ કરી દીધા હતા.
આ ચૂંટણીમાં મુસ્લિમો માટે 40 બેઠકો અનામત હતી, જેમાંથી MIPને વીસ, કોંગ્રેસને પાંચ અને મુસ્લિમ લીગને ચાર બેઠકો મળી હતી. ચૂંટણી પહેલા, MIP ને મુસ્લિમ લીગ તરફથી ખુલ્લી ઑફર હતી, પરંતુ MIP એ માત્ર નેશનાલિસ્ટ કૉંગ્રેસીઓને જ પસંદ કર્યા. પરંતુ જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે કોંગ્રેસે રાજ્યપાલના અધિકારો સાથે સરકાર બનાવવાનો ઇનકાર કરી દીધો હતો. પછી બીજી સૌથી મોટી પાર્ટી હોવાને કારણે MIP એ સરકાર બનાવવાનો નિર્ણય કર્યો. મો. યુનુસે કહ્યું કે તેઓ મુસ્લિમ લીગને સરકાર બનાવવાની તક આપવા માંગતા નથી.
જોકે, કોંગ્રેસે તેમના નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો અને કહેવાય છે કે જયપ્રકાશ નારાયણે તેમના બંગલે જઈને હંગામો મચાવ્યો હતો. પરંતુ યુનુસે કહ્યું કે તેઓ સરકાર બનાવશે અને જે દિવસે કોંગ્રેસ સરકાર બનાવવા માંગશે તે દિવસે તેઓ ખુરશી છોડી દેશે. તેમની સરકારમાં માત્ર મુસ્લિમો મંત્રી ન હતા. ચાર મંત્રીઓની કેબિનેટમાં બે હિન્દુ હતા. તેમણે જગજીવન રામને કેબિનેટમાં સામેલ થવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. પરંતુ જગજીવન રામે આ ઓફર ઠુકરાવી દીધી હતી.
કહેવાય છે કે 120 દિવસ મો. યુનુસ સરકારે ખેડૂતો માટે ઘણા મહત્વપૂર્ણ કામો કર્યા, જેમાં દેવામાંથી રાહત અને સિંચાઈ વ્યવસ્થા માટે પગલાં લેવામાં આવ્યા. તેમણે પોતાના વાયદાની શરમ રાખી કે જે દિવસે કોંગ્રેસ સરકાર બનાવવા માટે તૈયાર થશે તે દિવસે તેઓ પદ છોડી દેશે. જુલાઈમાં કોંગ્રેસે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે રાજીનામું આપી દીધું હતું.
સર્ચલાઈટ પ્રેસ, ઓરિએન્ટ બેંક ઓફ ઈન્ડિયા, પટના ફ્લાઈંગ ક્લબ જેવી સંસ્થાઓના સ્થાપક, મો. યુનુસ આજે બિહારના રાજકારણમાં અજાણ્યા વ્યક્તિ જેવા છે. વાસ્તવમાં, એક સમયે બિહારની રાજનીતિમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રવાદી મુસ્લિમો હતા, પરંતુ આજે આપણે આવા લોકોને ભૂલી ગયા છીએ. જો આપણે આવા લોકોને યાદ રાખ્યા હોત તો આજે પરિસ્થિતિ જુદી હોત.
- પિયૂષ મિશ્ર
સૌજન્ય : હેરિટેજ ટાઇમ્સ

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...