Skip to main content

ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને બિહારના પ્રથમ મુખ્યમંત્રી બેરિસ્ટર મુહમ્મદ યુનુસ


જો આપણે બેરિસ્ટર મુહમ્મદ યુનુસ જેવા લોકોને યાદ રાખતા તો આજે પરિસ્થિતિ જુદી હોત.

આ 1937 ની વાત છે, જ્યારે તેઓ બિહારના પ્રીમિયર બન્યા, તે દિવસોમાં મુખ્યમંત્રીને પ્રીમિયર કહેવામાં આવતું હતું. શ્રી કૃષ્ણ સિંહને જ આ પદ મળવાનું હતું. કારણ કે એ પ્રથમ ચૂંટણીમાં જ્યારે અંગ્રેજ સરકારે આપણને સ્વરાજ્યનો અધિકાર આપ્યો ત્યારે કોંગ્રેસ અને મો. યુનુસની પાર્ટી, મુસ્લિમ ઈન્ડિપેન્ડન્ટ પાર્ટી (MIP) એ ગઠબંધન કરીને લડ્યા અને સાથે મળીને મુસ્લિમ લીગના સૂપડા સાફ કરી દીધા હતા.
આ ચૂંટણીમાં મુસ્લિમો માટે 40 બેઠકો અનામત હતી, જેમાંથી MIPને વીસ, કોંગ્રેસને પાંચ અને મુસ્લિમ લીગને ચાર બેઠકો મળી હતી. ચૂંટણી પહેલા, MIP ને મુસ્લિમ લીગ તરફથી ખુલ્લી ઑફર હતી, પરંતુ MIP એ માત્ર નેશનાલિસ્ટ કૉંગ્રેસીઓને જ પસંદ કર્યા. પરંતુ જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે કોંગ્રેસે રાજ્યપાલના અધિકારો સાથે સરકાર બનાવવાનો ઇનકાર કરી દીધો હતો. પછી બીજી સૌથી મોટી પાર્ટી હોવાને કારણે MIP એ સરકાર બનાવવાનો નિર્ણય કર્યો. મો. યુનુસે કહ્યું કે તેઓ મુસ્લિમ લીગને સરકાર બનાવવાની તક આપવા માંગતા નથી.
જોકે, કોંગ્રેસે તેમના નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો અને કહેવાય છે કે જયપ્રકાશ નારાયણે તેમના બંગલે જઈને હંગામો મચાવ્યો હતો. પરંતુ યુનુસે કહ્યું કે તેઓ સરકાર બનાવશે અને જે દિવસે કોંગ્રેસ સરકાર બનાવવા માંગશે તે દિવસે તેઓ ખુરશી છોડી દેશે. તેમની સરકારમાં માત્ર મુસ્લિમો મંત્રી ન હતા. ચાર મંત્રીઓની કેબિનેટમાં બે હિન્દુ હતા. તેમણે જગજીવન રામને કેબિનેટમાં સામેલ થવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. પરંતુ જગજીવન રામે આ ઓફર ઠુકરાવી દીધી હતી.
કહેવાય છે કે 120 દિવસ મો. યુનુસ સરકારે ખેડૂતો માટે ઘણા મહત્વપૂર્ણ કામો કર્યા, જેમાં દેવામાંથી રાહત અને સિંચાઈ વ્યવસ્થા માટે પગલાં લેવામાં આવ્યા. તેમણે પોતાના વાયદાની શરમ રાખી કે જે દિવસે કોંગ્રેસ સરકાર બનાવવા માટે તૈયાર થશે તે દિવસે તેઓ પદ છોડી દેશે. જુલાઈમાં કોંગ્રેસે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે રાજીનામું આપી દીધું હતું.
સર્ચલાઈટ પ્રેસ, ઓરિએન્ટ બેંક ઓફ ઈન્ડિયા, પટના ફ્લાઈંગ ક્લબ જેવી સંસ્થાઓના સ્થાપક, મો. યુનુસ આજે બિહારના રાજકારણમાં અજાણ્યા વ્યક્તિ જેવા છે. વાસ્તવમાં, એક સમયે બિહારની રાજનીતિમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રવાદી મુસ્લિમો હતા, પરંતુ આજે આપણે આવા લોકોને ભૂલી ગયા છીએ. જો આપણે આવા લોકોને યાદ રાખ્યા હોત તો આજે પરિસ્થિતિ જુદી હોત.
- પિયૂષ મિશ્ર
સૌજન્ય : હેરિટેજ ટાઇમ્સ

Comments

Popular posts from this blog

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવી રહ