Skip to main content

હવાલદાર અબ્દુલ હમીદ(1 જુલાઈ 1933)



આ કોઈ સામાન્ય નહીં, હવાલદાર અબ્દુલ હમીદની જીપ છે.

તમે હજારો કાર અને જીપ જોઈ હશે પરંતુ તમે આ જીપ જોઈ નહીં હોય. ક્યારેય જોઈ નહીં હોય પણ એ તો ઠીક,પણ આ જીપમાં શું ખાસ છે! તે ખાસ છે સાહેબ, તે ખૂબ જ ખાસ છે. આજે આપણા જિલ્લામાં આ જીપને જોવા લોકોનો ધસારો જોવા મળે છે. મને ખુશી છે કે આજે મારી આ પોસ્ટના બહાને આ જીપ મારો આખો દેશ પણ જોશે. આજે મારા ગામ તરફ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તમે જેને જોશો તે જીપને જોવા માટે એક જ દિશામાં દોડી રહ્યો છે. હા, ધામુપુર, આપણું શહીદનું ગામ, અબ્દુલ હમીદનું ગામ. આજના ઉત્સવનું કેન્દ્ર. કંઈક યાદ કરો. 10 સપ્ટેમ્બર 1965. પશ્ચિમ સરહદનો ખેમકરણ વિસ્તાર. પરમવીર કંપનીના ક્વાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદ તેની જીપમાં ભારત તરફથી આગળની બાજુએ સવાર હતા. આજે 10મી સપ્ટેમ્બર છે. ધામુપુરમાં આજે મહાઉત્સવ છે. ગામના ઈતિહાસમાં પ્રથમ વખત આર્મી ચીફ શહીદના દરવાજે માથું નમાવવા આવ્યા છે. અને પોતાની સાથે એ જીપ લાવ્યા કે જેના પર અબુલ હમીદે અમેરિકામાં બનેલી પાકિસ્તાની પેટન ટેન્કની એક્સેલ વેરવિખેર કરી નાખી હતી. લાખો લોકો એકઠા થયા છે. આજે ધામુપુર આ જીપને પહેલીવાર જોઈ રહ્યું છે. આજે આ જીપને પહેલીવાર જોઈને ગાઝીપુર રોમાંચિત છે. આજે અમે ઇચ્છીએ છીએ કે દેશ આ જીપને જુએ જે પ્રથમ વખત આર્મી હેડક્વાર્ટરથી બહાર કાઢવામાં આવી છે અને ધામુપુરના શહીદ સ્મારક પર સ્થાપિત કરવામાં આવી છે. જનરલ વિપિન રાવત આમ તો પાછા ફર્યા છે, પરંતુ ધામુપુર અને ગાઝીપુરની જનતાની આ પ્રિય જીપ હંમેશા માટે તેમની પાસે છોડી ગયા છે. આજે શહીદનો શહીદ દિવસ છે. ચાલો આપણે અબ્દુલ હમીદના જીવનનો પ્રવાસ કરીએ.
બાબા કહેતા કે હમીદ ત્યારથી ગધેડો હતો.તેના અભ્યાસમાં સંપૂર્ણ ઝીરો.તેને પુસ્તકોથી ધિક્કાર, અને શાળા પ્રત્યે નફરત હતી.ઘણી વખત ઉસ્માન ચાચાને તેમની પીઠ પર બેસાડી શાળાએ પહોંચવાની ફરજ પડતી હતી.તે સ્કૂલમાં પણ રડતો રેહતો હતો.અને જ્યારે તે ચૂપ રહેતો ત્યારે તે કંઈક એવું કરતો કે હેડમાસ્તર મુનશીજી તેને માર્યા વગર છોડતા નહીં.શાળાએ ન જવાના ગુસ્સામાં ને ગુસ્સામાં કોઈની કોઈ સાથે લડતો અને મારઝૂડ કરતો.શરીરમાં મજબૂત હતો.અજીબ હિંમતવાન હતો,બાપના હાથનો યાર ખાયા પછી જ શાળાએ આવતો,બદલામાં કોઈને મારતો અને બાદમાં મુનશીજીની લાકડી ખાતો.એટલો નહીં તો તેનો દિનચર્યા નો તો નહીં પરંતુ અઠવાડિયે આવું કરવું એનો ધંધો હતો.તેનું મન ત્રણ બાબતોમાં સમર્પિત હતું. કોઈની સાથે કુસ્તી કરવી હોય… ગોફણ ચલાવવું હોય… કે મંગઈ નદીમાં તરવું હોય….. પણ જો ભણતર જ ન થતું હોય તો આ ત્રણેય વસ્તુઓનો શું ઉપયોગ..? જ્યારે તે થોડો મોટો થયો, ઉસ્માન ચાચાએ તેને પૈતૃક દુકાનમાં બેસાડવાનું શરૂ કર્યું, પણ ત્યાં પણ તેનું મન ક્યાં લાગવાનું હતું. પિતા આખો દિવસ કપડા સીવતા હતા અને તે આખો દિવસ ગોફણ ચલાવતો હતો. એકાદ વાર અહીં પણ માર ખાતો. ઉસ્માન ચાચા એને પકડીને લાવતા અને આગળના સ્ટુલ પર બેસાડી દેતા. ઠપકો આપ્યા પછી કેહતા કે જો કેવી રીતે સીવણ થાય છે. હમીદની કોઈ મન મરજી ન ચાલે.ચૂપચાપ માધોની મૂર્તિ બની તે મશીનનો ખટ ખટ ખટ ખટ સાંભળતો રહેતો.ચૌદ-પંદર વર્ષના કિશોર હમીદનું મનમાં સૈનિક બનવાના સપના સ્ફૂરવા લાગ્યા.સિલાઈ મશીનની ખટ ખટ ખટ ખટ જેમ જેમ તેજ થતી એમ એમ એનામાં મશીન ગનોની દગ દગ દગ દગ તેજ થતી રહેતી. આઝાદી પછીના એ સમયગાળામાં બધા સરકારી વિભાગો લોકોને પકડીને નોકરી પર મૂકતા હતા.લોકો પોતાના પ્રિયજનોને સેનામાં જતા રોકતા હતા.બાબા કહેતા હતા કે પલટણોના અધિકારીઓ જો કોઈ હઠ્ઠાકઠ્ઠા યુવાનને જોતા, તો તેને સેનામાં લઈ લેતા.પરિવારજનો સાંભળતા તો માથું ઝુકાવી દેતા, કારણ કે તે વખતે લોકો માનતા હતા કે સેનામાં જોડાવું એટલે સરહદ પર લડવું અને મરવું.આવી પરિસ્થિતિમાં હમીદ માટે પોતાનું સપનું માં-બાપને કહેવું ઘણું મુશ્કેલ હતું…
મજબૂત ચુસ્ત સ્ટીલ બોડીના કારણે હમીદ સત્તર અઢાર વર્ષનો થયો ત્યાં સુધીમાં આસપાસના ગામડાઓમાં પ્રખ્યાત થઈ ગયો હતો.એ વિસ્તારમાં કોઈ કુશ્તી એવી નહીં હોય જ્યાં હમીદે બે-ચાર કુશ્તીઓ ન મારી હોય.એ એવો દૌર હતો કે અખાડાઓ ગામડાઓનું ગૌરવ હતું.એટલે જ હમીદ લોકપ્રિય તો થઈ રહ્યો હતો, પણ કુસ્તી સિવાય લોકો તેને મૂર્ખ માનતા હતા. ગધેડો તો તે હતો જ.બાબા કહેતા કે હમીદ મારી સાથે જ ભણતો હતો.ઉસ્માન ચાચાને જ્યારે આ વતની ખબર પડી ત્યારે તેમણે બુદ્ધનું બુદ્ધત્વ રોકવા ઉતાવળમાં લગ્ન કરાવી દીધા.લગ્ન પછી હમીદ છેતરાયાનો અંદેશો તો આવી ગયો,પણ એક દિવસ અચાનક જ જાણે તેના પુરુષાર્થની પ્રથમ આગ ફાટી નીકળી હોય.ધામૂપુરમાં કેટલા ગુંડા લોકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હતા.લગભગ 50 લઠ્ઠબાજો આવી પહોંચ્યા.જમીનદાર સાહેબ ગરીબ પરિવારનો પાક બળજબરીથી કાપવા માટે આવ્યા હતા.આવા પ્રસંગોએ સામાન્ય રીતે ગામડાના લોકો તેમના ઘરમાં ઘૂસી જતા હતા. હમીદે વાત સાંભળતા જ હાથ ધ્રૂજવા લાગ્યા.તેને આખો ઘર રોકતું રહ્યું પણ હમીદ લાકડી લઈને મિત્રના ખેતરમાં ઉતરી આવ્યો.બાબા કહેતા કે હમીદ માટે દોસ્ત બહુ મોટી વાત છે અને મિત્ર મિત્ર હોય છે. એકલા હમીદે કલાકો સુધી 50 લઠ્ઠબાજો સાથે કલાકો લડ્યો અને અંતે ભગાડ્યા. એ વાત કરતાં બાબાની આંખો પહોળી થઈ જતી કે 50 લઠ્ઠબાજોને એકલા હમીદે કલાકો લાવ્યા.. 1954નું વર્ષ હતું. પછી જમીનદારોના પેશાબથી ગામડાઓમાં દીવા પ્રગટાવતા. શું મજાલ કે કોઈ ચું પણ કરે.હમીદની શોધ શરૂ થઈ. આ સમયે, હમીદ અડધી રાતે ટ્રેનમાં ભરતી થવાનું કહીને ગામ છોડીને ચાલ્યો ગયો. અને તેના પરિવારના સભ્યોથી ચોરીછૂપીથી સેનામાં જોડાયો. તે દિવસોમાં કાશ્મીરમાં આતંકવાદ ન હતો, પરંતુ ત્યાં કબીલાઈ રહેતા હતા. જેઓ ભારતમાં ઘૂસીને લૂંટફાટ કરતા હતા.આવા જ એક કુખ્યાત પાકિસ્તાની લૂંટારુ ઇનાયતનો આખા કાશ્મીરમાં ડર હતો.નવા ભરતી થયેલા હમીદે ઇનાયતને જીવતો પકડી લીધો હતો.અને તેની બહાદુરીની ધમક આખા દેશે 1960માં જ સાંભળી હતી.1962ની હારે જાણે એનામાં પાગલપણું ભરી દીધું. 1965 નું યુદ્ધ શરુ થયું ત્યારે હમીદ રજા પર વતન આવેલ હતો. ઘરની સામેના ઝાડ પર ચીબરીઓ બોલવા લાગી.તેનું બોલવું એ અશુભની નિશાની છે.પણ તેને કોઈ મારતું નથી.લોકો ભગાડે છે..પણ હમીદને કોણ સમજાવે…!તેના હાથમાં ગોફણ ઉછરી હતી. અંધારી રાત….ચીબરીનો અવાજ.. ગોફણની ગોળી અવાજ તરફ છુટી.. સટાઅઅક.. ચીબરી ભોય ભેગી.…શબ્દભેદી ગોળી.. શબ્દવેધી નિશાન..!!! પલટન તરફથી સંદેશો આવ્યો – હાજીર હો… યુદ્ધ શરૂ થઈ ગયું છે… જતાં જતાં રસૂલન બીબી રડી રહી હતી… પતિના ગળામાં મફલર વીંટળાયેલું હતું, તેથી યાત્રા દરમિયાન લાંબા સમય સુધી એ યાદો વાગોળાતી રહી…
10 સપ્ટેમ્બર, 1965 નો દિવસ.. પાકિસ્તાની સેનાએ અમૃતસરના પશ્ચિમી સેક્ટર કસૂર પર સંપૂર્ણ તૈયારી સાથે હુમલો કર્યો. હમીદ ખેમકરણમાં તૈનાત હતો. ભારતીય સૈનિકો પાકિસ્તાની સૈન્યની સરખામણીમાં ઓછા હતા અને તેમની પાસે એટલા હથિયાર પણ નહોતા, જેથી મુકાબલો બરાબરી પર પણ રોકી શકાય. તેમની પાસે અદમ્ય અમેરિકન પેન્ટોન ટેન્કોનો કાફલો હતો.. અને હમીદ પાસે તોપથી સજ્જ માત્ર એક જ જીપ હતી. હમીદને લાગ્યું કે એ ટેન્કો પર એક ખંજવાળ પણ લાવી શકાય તેમ નથી.તેના પર ખુન સવાર હતું.ધ્યેય નક્કી કર્યો અને જીવનનો જુગાર રમી ગયો.. છુપાઈને છુપાઈને પાકિસ્તાની છાવણીમાં ઘુસ્યો અને જીપને માટીના ટેકરાની પાછળ લગાવી દીધી.. અને એ પછી જે બન્યું તે બધો ઈતિહાસ છે.. અમેરિકા અને પાકિસ્તાનનો અભિમિન ચકનાચૂર થઈને યુદ્ધના મેદાનમાં પડ્યો રહ્યો.. પાકિસ્તાની બંદૂકો હમીદ તરફ વળી તેના પર આગનો વરસાદ શરૂ કરી દીધો..પરંતુ હમીદનો મોરચો હજુ ચાલુ જ હતો.હમીદે પોતાની મશીનગનનું મોઢું ખોલ્યું અને ગોળીઓથી છલની શરીર પાકિસ્તાની સેના પર ચઢી ગયું.. ત્યાં સુધીમાં હમીદને, તેના ઘરને અને મારા ગામને એકસાથે કેટલી ગોળીઓ વીંધી ચૂકી હતી.. શહીદ થતા પહેલા સેંકડો પાકિસ્તાની સૈનિકો ઉપર પહોચાડી દીધા હતા. બાબા કહેતા કે ગાઝીપુરના હમીદે પોતાનો જીવ આપીને અમૃતસરને બચાવ્યું..સરકારે હમીદને પરમવીર ચક્રની જાહેરાત કરી અને વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી ધામુપુર આવ્યા..બાબાએ જણાવ્યું કે ઉસ્માન ચાચાને બાથ ભરીને શાસ્ત્રીજીએ પૂછ્યું- તમારા દીકરાએ દેશનું માથું ઊંચું કર્યું છે, તમે અમારી પાસેથી શું ઇચ્છો છો.. માંગો...? તમે જે માંગશો, સરકાર ચોક્કસ આપશે...એ વખતે કદાચ જે માંગ્યું હોત એ સરકાર આપી દેત, પરંતુ ઉસ્માન ચાચાએ બે જ વસ્તુ માંગી હતી... ધ્રૂજતાં અવાજે ઉસ્માન ચાચાએ માંગ્યુ - ધામુપુરથી ગાઝીપુર સુધીનો રસ્તો આપી દો સાહેબ….અને ગંગા પર એક પુલ….!! બંને બની ગયા…હજુ પણ છે…બાબા કહે છે કે ઉસ્માન ચાચા છેલ્લી ઘડી સુધી કપડાં સીવતા રહ્યા. દરરોજ ચાર કિલોમીટર દૂર દુલ્લહપુર માર્કેટમાં આવેલી તેમની દુકાને પગપાળા આવતા જતા.ઈદ આવે એટલે ઉસ્માનચાચાની દુકાન ઈદીથી ભરાઈ ગઈ હોય અને પચાઈઓ આવી ગયા હોય તો ઉસ્માન ચાચા આખા વિસ્તારના કુસ્તીબાજ માટે મફતમાં લંગોટ સીવતા …રસૂલન બીબી આજે લગભગ નેવું વર્ષની થઈ ગઈ છે….પણ આજે પણ ખટ ખટ ખટ ચાલે છે…બિલકુલ મશીનગનની જેમ….દગ દગ દગ…. શું હિંદુ - શું મુસ્લિમ, રસૂલન બીબી અમારા બધાની આજી છે બસ, બસ… અને દેખાઈ જાય તો પગે જરૂર પડીએ છીએ અમે..
- પ્રેમ પ્રકાશ
આ લેખ લેખક દ્વારા તેમની ફેસબુક વોલ પર 10 સપ્ટેમ્બર 2017 ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો.

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...