Skip to main content

કોમેડીયન,સીંગર ઉમાદેવી ઉર્ફે ટુન ટુન



अफसाना लिख रही हूं

दिल-ए-बेक़रार का ..

आंखों में रंग भर के तेरे इंतज़ार का ..
ટુન ટુન એક ભારતીય પ્લેબેક સિંગર અને કોમેડિયન હતા. તેમનું સાચું નામ ઉમા દેવી ખત્રી હતું. તેણીને હિન્દી સિનેમાની પ્રથમ કોમેડી અભિનેત્રી પણ કહેવામાં આવે છે. ઉમા દેવીને તેમનું ઉપનામ ટુન ટુન પ્રખ્યાત ફિલ્મી કલાકાર દિલીપ કુમાર દ્વારા આપવામાં આવ્યું હતું.
એક દિવસ તેમની એક સહેલી તેમના ગામ આવી, જે મુંબઈમાં ઘણા ફિલ્મ સર્જકોને ઓળખતી હતી. ટુનટુન તેની સાથે મુંબઈ રહેવા ચાલી ગઈ. મુંબઈ આવીને તેણીએ સંગીતકાર નૌશાદનો દરવાજો ખખડાવ્યો. તેણીએ નૌશાદની સામે આગ્રહ કર્યો કે જો તેણીને ગાવાની તક નહીં મળે તો તે તેના બંગલા સામેના દરિયામાં કૂદી પડશે.
નૌશાદ સાહેબે ટુનટુનનું નાનકડું ઓડિશન લીધું અને તેના અવાજથી પ્રભાવિત થઈને તરત જ તેણીને કામ સોંપ્યું. દિલ્હીમાં કોઈએ તેમને ડિરેક્ટર નીતિન બોઝના આસિસ્ટન્ટ જવાદ હુસૈનનું સરનામું આપ્યું. તે મુંબઈ આવીને તેને મળી અને તેણે જ ટુનટુનને આશ્રય આપ્યો. વર્ષ 1947માં તેમને પહેલીવાર ગાવાનો મોકો મળ્યો. ટુન ટુનનું પહેલું ગીત 'દર્દ' ફિલ્મમાં 'અફસાના લખતા રહી હૂં' હતું. આ ગીત સુપરહિટ થયું અને ટુન ટનનું નસીબ ચમક્યું.
એક પાકિસ્તાની અખ્તર અબ્બાસ કાઝીને ટુન ટુનનું આ ગીત એટલું ગમી ગયું કે તેણે પોતાનો દેશ છોડીને ભારત આવીને ટુન ટુન સાથે લગ્ન કર્યા. અખ્તર ટુન ટુનના જૂના જાણકાર હતા. આ પછી ટુન ટુને સતત 45 ગીતો ગાયા. પરંતુ પ્રેગ્નન્સી અને કેટલીક ઘરેલું જવાબદારીઓને કારણે તેણીએ ફિલ્મોમાંથી બ્રેક લેવો પડ્યો હતો. ટુન ટુનના પતિ અખ્તર નોકરી કરતા હતા પરંતુ જેમ જેમ પરિવાર વધતો ગયો તેમ તેમ પગાર ઓછો પડવા લાગ્યો.
બાળક થયા બાદ ટુન ટુનનું વજન સતત વધી રહ્યું હતું. પરંતુ નૌશાદે તેમની અભિનય પ્રતિભાને ઓળખી અને તેણીને ફિલ્મ 'બાબુલ'માં કામ કરવાની તક આપી. ટુન ટુનનું પાત્ર લોકોને ખૂબ પસંદ આવ્યું અને ટૂંક સમયમાં જ તે કોમેડી અભિનેત્રી બની ગઈ. પાંચ દાયકાની તેમની કારકિર્દીમાં ટુનટુને લગભગ 200 ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 90ના દાયકામાં પતિના અવસાન બાદ તેણીએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી હતી. તેમની પ્રખ્યાત ફિલ્મોમાં 'આરપાર', 'પ્યાસા', 'મિસ્ટર એન્ડ મિસિસ ફિફ્ટી ફાઈવ' અને 'મોમ કી ગુડિયા'નો સમાવેશ થાય છે.
જણાવી દઈએ કે જમીનના વિવાદમાં ટુનટુનના માતા-પિતા અને ભાઈની હત્યા કરવામાં આવી હતી. ટુનટુનના નિધનના બે દિવસ પહેલા તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'મને ખબર નથી કે મારા માતા-પિતા કેવા દેખાતા હતા કારણ કે જ્યારે હું અઢી વર્ષની હતી ત્યારે તેઓ ગુજરી ગયા હતા. મારો એક આઠ-નવ વર્ષનો હરિ નામનો ભાઈ હતો. મને યાદ છે કે અમે અલીપોરમાં રહેતા હતા. એક દિવસ મારા ભાઈની પણ હત્યા થઈ, ત્યારે હું ચાર-પાંચ વર્ષની હોઈશ ત્યારે કદાચ.

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...