મુહમ્મદ ઉસ્માનનો જન્મ 15 જુલાઈ 1912ના રોજ આઝમગઢમાં થયો હતો અને તેઓ બ્રિટનમાં તાલીમ મેળવનાર ભારતીય સૈન્ય અધિકારીઓની પ્રથમ બેચમાંના એક હતા. બીજા વિશ્વયુદ્ધમાં તેમના નેતૃત્વ માટે વખાણાયેલા, બ્રિગેડિયર ઉસ્માન 50 પેરા બ્રિગેડના કમાન્ડર હતા, જેમણે નૌશેરામાં વિજય મેળવ્યો હતો. ભારતની આઝાદીના 11 મહિના પછી જ મુહમ્મદ ઉસ્માન પાકિસ્તાની ઘૂસણખોરો સામે લડતાં શહીદ થયા હતા. ઉલ્લેખનીય છે કે જુલાઈ 1948માં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને તેમના મંત્રીમંડળના સાથીઓએ તેમના રાજ્યકક્ષાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.
તે ભારતમાંથી પસંદ કરાયેલા 10 કેડેટ્સમાંથી એક હતા. બ્રિટનથી ભણેલા મુહમ્મદ ઉસ્માનની ઉંમર 23 વર્ષ હતી. બલોચ રેજિમેન્ટમાં નોકરી મળી. અહીં ભારત અને પાકિસ્તાનનું વિભાજન થઈ રહ્યું હતું. પાકિસ્તાની નેતાઓ મુહમ્મદ અલી ઝીણા અને લિયાકત અલી ખાને આહ્વાન કર્યું. પાકિસ્તાની આર્મીમાં જોડાઓ, લાલચ - નિયમો તોડીને (આઉટ ઓફ ટર્ન) પાકિસ્તાની આર્મી ચીફ બનાવવામાં આવશે. પરંતુ, વતનપરસ્ત ઉસ્માને આ ઓફર ઠુકરાવી દીધી. બલૂચ રેજિમેન્ટ ભાગલામાં પાકિસ્તાન આર્મીના હિસ્સામાં ગઈ હતી. ઉસ્માન ડોગરા રેજિમેન્ટમાં જોડાયા.
25 ડિસેમ્બર, 1947ના રોજ પાકિસ્તાની સેનાએ ઝાંગર પર કબજો કર્યો. લેફ્ટનન્ટ જનરલ કે. એમ. કરિયપ્પા ત્યારે પશ્ચિમી આર્મી કમાન્ડર હતા. તેમણે જમ્મુને પોતાની કમાન્ડનું મુખ્ય મથક બનાવ્યું. ધ્યેય હતું- ઝાંગર અને પૂંછને કબજે કરવાનો અને માર્ચ 1948માં, બ્રિગેડિયર ઉસ્માનની બહાદુરી, નેતૃત્વ અને શક્તિને કારણે ઝાંગર ભારતના કબજામાં આવ્યું. તેમને નૌશેરાના સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ પાકિસ્તાનની સેનાના હજારો સૈનિકો માર્યા ગયા અને એટલા જ ઘાયલ થયા, જ્યારે ભારતના 102 ઘાયલ થયા અને 36 સૈનિકો શહીદ થયા.
'નૌશેરાના સિંહ' મુહમ્મદ ઉસ્માનની કબરને નુકસાન થયું હતું,તે દરમિયાન ભારતીય સેનાએ એને વ્યવસ્થિત કરી ઉત્કૃષ્ટ દાખલો બેસાડ્યા હતો.
થોડાક વર્ષો પહેલાં બ્રિગેડિયર ઉસ્માનની કબર ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. આ મકબરો જે કબ્રસ્તાનમાં સ્થિત છે, તે દક્ષિણ દિલ્હીમાં જામિયા મિલિયા ઈસ્લામિયાના અધિકારક્ષેત્રમાં આવે છે.
દેશ આઝાદ થયો હતો અને તિરંગામાં લપેટાયેલી સોનેરી સવારને જોઈ રહ્યો હતો કે આઝાદીના થોડા જ દિવસોમાં બ્રિગેડિયર ઉસ્માનને કાશ્મીરના ઝાંગર ખાતે તૈનાત 50 પેરાશૂટ બ્રિગેડની કમાન સોંપવામાં આવી.
જમીલન બીબી અને ફારૂકનો દીકરો ઉસ્માન જ્યારે બનારસની હરિશ્ચંદ્ર ઈન્ટર કોલેજમાં ભણવા માટે જતો ત્યારે વિસ્તારની સુંદર છોકરીઓ તેના રસ્તે ઊભી રહેતી.
પરંતુ શું મજાલ કે ઉસ્માન તેની આંખો ઉંચી કરે, કહેવાય છે કે જ્યારે બ્રિગેડિયર ઉસ્માનની આંખો ઊંચી થતી હતી ત્યારે દુશ્મનની આંખો કાયમ માટે બંધ થઈ જતી હતી.
સુંદર આંખો, નિર્દોષ ચહેરો અને લોખંડ જેવું કાળજું. ઉસ્માન માટે દેશ જ બધું હતું, તેનો પરિવાર, તેનું ઘર, તેની દુનિયા.તેણે આ વાત વારંવાર સાબિત કરી, પરંતુ તે ત્યારે બન્યું જ્યારે મઉના બીબીપુર ગામમાં જન્મેલા ઉસ્માને એક દિવસ કાશ્મીર મેળવવા અને ભારત માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા.
ભારત અને પાકિસ્તાનના વિભાજન સમયે જ્યારે આખા દેશમાં રમખાણો ભડકી રહ્યા હતા, સેનાનું પણ વિભાજન થઈ રહ્યું હતું, ત્યારે 10મી બલોચ રેજિમેન્ટના અધિકારી ઉસ્માને ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું. જ્યારે તેના તમામ મુસ્લિમ સાથી પાકિસ્તાન જઈ રહ્યા હતા.
ત્યારબાદ પાકિસ્તાની શાસકો લિયાકત હુસૈન અને મુહમ્મદ અલી ઝીણાએ બ્રિગેડિયર ઉસ્માનને ધર્મની દુહાઈ હેઠળ અપીલ કરી અને બ્રિગેડિયર ઉસ્માનને આઉટ-ઓફ-ટર્ન આર્મીના વડા બનાવવાની ઓફર પણ કરી પરંતુ તેમણે ના પાડી.
આ દેશ પ્રત્યેનો પ્રેમ છે, જે અંગ્રેજોની માફી માંગી જેલમાંથી છૂટનારા અને આઝાદીના દિવાનાઓ વિરુદ્ધ ખોટી જુબાની આપનારાઓનો વંશજો ક્યારેય નહીં કરી શકે.
ખૈર,
ભારત-પાકિસ્તાનના ભાગલામાં બલૂચ રેજિમેન્ટ પાકિસ્તાનના ભાગમાં ગઈ, પછી બ્રિગેડિયર ઉસ્માન ડોગરા રેજિમેન્ટમાં ચાલ્યા ગયા.એ ન ભૂલવું જોઈએ કે આ એ જ રેજિમેન્ટ છે જેના બેઝ પર તાજેતરમાં ઉરીમાં પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.
ખૈર,
બ્રિગેડિયર ઉસ્માન કાશ્મીરના ઝાંગાર પહોંચે તે પહેલાં આશ્ચર્યજનક રીતે પાકિસ્તાની સેના ચોકીની તૈનાતીથી ગભરાઈ ગઈ હતી અને લગભગ 6 હજાર સૈનિકો સાથેની પાકિસ્તાની સેનાએ ઝાંગરનો કબજો કરી લીધો હતો.
તેની બાજુમાં નૌશેરા સેક્ટર હતું, ઉસ્માને નૌશેરાને દુશ્મનોથી બચાવવા માટે એક જબરદસ્ત વ્યૂહરચના બનાવી, તેણે સૌથી પહેલા ઉત્તર દિશામાં સ્થિત કોટ ટેકરીને પાકિસ્તાનીઓના કબજામાંથી મુક્ત કરાવી. આ એ ટેકરી હતી જ્યાંથી આખું નૌશેરા પર નજર રાખી શકાતી હતી.
1 ફેબ્રુઆરી 1948 ના રોજ, બ્રિગેડિયર ઉસ્માનના સફળ નેતૃત્વ હેઠળ, ભારતીય સેનાએ કોટ અને નૌશેરાની આસપાસના વિસ્તાર પર હુમલો કર્યો અને સવાર સુધીમાં સમગ્ર નૌશેરા પર કબજો કરી લીધો.
સૌથી જબરદસ્ત સફળતા ત્યારે મળી જ્યારે ફેબ્રુઆરી 1948ના છેલ્લા સપ્તાહમાં બ્રિગેડિયર ઉસ્માને લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરિઅપ્પાના નેતૃત્વમાં બનાવવામાં આવેલી યોજનાના સફળ અમલીકરણ દ્વારા ઝાંગર પર પોતાનું નિયંત્રણ મેળવ્યું.
બ્રિગેડિયર ઉસ્માનની બહાદુરીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમને સમગ્ર કાશ્મીરમાં ‘નૌશેરાનો સિંહ’ કહેવામાં આવતો હતો.
ઝાંગર પર ભારતના કબજા પછી, પાકિસ્તાને વારંવાર કબજે કરવાની યોજના બનાવી. મે 1948માં, પાકિસ્તાને ઝાંગર પાસે તેની નિયમિત સેના તૈનાત કરી.
3 જુલાઈ 1948 ના રોજ, ઝાંગર ખાતે ભીષણ યુદ્ધ થયું જેમાં એક હજાર જેવા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને લગભગ એટલા જ ઘાયલ થયા, જ્યારે બ્રિગેડિયર ઉસ્માનની આગેવાની હેઠળની 50 પેરાશૂટ બ્રિગેડના ફક્ત 33 સૈનિકો શહીદ થયા અને 102 ઘાયલ થયા. એ જ યુદ્ધ દરમિયાન 25 પાઉન્ડનો શેલ મેજર ઉસ્માન પર જઈને પડ્યો અને ભારત માતાના આ પુત્ર શહીદ થયા.
બ્રિગેડિયર ઉસ્માનના છેલ્લા શબ્દો હતા:- "હું મરી રહ્યો છું પણ આપણો પ્રદેશ આપણો જ છે, દુશ્મનોના ખાતમા સુધી લડીશું".
તત્કાલિન ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, શેખ અબ્દુલ્લા અને નેહરુના પ્રથમ મંત્રીમંડળના તમામ લોકોએ શહીદ બ્રિગેડિયર ઉસ્માનના જનાજા અને દફનવિધિમાં હાજરી આપી હતી અને જામિયા મિલિયા ઈસ્લામિયા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
બ્રિગેડિયર ઉસ્માનની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પાકિસ્તાનીએ તેના માથા પર 50 હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું હતું અને એ વખતે લિયાકત હુસૈને કહ્યું હતું કે,
"જો અમારી પાસે પણ એક બ્રિગેડિયર ઉસ્માન હોત"
જો બ્રિગેડિયર ઉસ્માન હજુ 12 દિવસ જીવિત હોત તો તેઓ પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહ્યા હોત, પરંતુ 3 જુલાઈ, 1948ના રોજ નૌશેરાના આ અપરિણીત સિંહે નૌશેરાના 148 અનાથ બાળકોને લાવારીસ છોડીને આ દુનિયા છોડી દીધી, જે બાળકોનું શિક્ષણ અને ઉછેર તે તેમના પગારમાંથી કરતા હતા.
વિચાર આવે છે કે આજે દેશના મુસ્લિમોને પાકિસ્તાનમાં ચાલ્યા જવાની જાહેરાત પર બ્રિગેડિયર ઉસ્માનની આત્મા શું મહેસૂસ કરતી હશે?
રેહબર જૌનપુરીએ સરસ કહ્યું છે કે,
हमने कब हिंद के ख्वाबों की तिजारत की है।
हमने कब मुल्क के ख्वाबों से बगावत की है।।
हमने कब साज़िशी लोगों की हिमायत की है।
हमने हर हाल में दस्तूर की इज़्ज़त की है।।
हम ज़माने की निगाहों में ख़तावार नहीं।
फिर भी हमसे ये गिला है कि वफादार नहीं।।
हिंद के सर की लगाई नहीं हमने बोली।
बेच कर राज़ नहीं हमनें भरी है झोली।।
हमने खेली नहीं इंदिरा के लहू से होली।
हमने बापू पे चलाई नहीं हर्गिज़ गोली।।
हम जफाकश है जफाकेशो जफाकार नहीं।
फिर भी हमसे ये गिला है कि वफादार नहीं।।
: મુહમ્મદ જાહિદ
સૌજન્ય : હેરિટેજ ટાઇમ્સ
Comments
Post a Comment