Skip to main content

૨૫ જુન ૧૯૭૫ (ઈમરજન્સી લાગુ દિવસ)


તે ૨૫ જુન ૧૯૭૫ ની અડધી રાત હતી, ત્યારે ટેલિફોનની ઘંટડીએ મને જગાડી દીધો. ફોન કરનારે કહ્યું કે તે ભોપાલથી બોલી રહ્યો છે. ત્યાંની સડકો પોલીસવાળાઓથી ભરેલી પડી છે. શું હું જણાવી શકું છું કે આવું કેમ છે? તેણે મને પૂછ્યું.મેં ઊંઘમાં જ જવાબ આપ્યો કે હા જણાવું છું,કહું છું, તો પણ તેને ફોન કાપ્યો નહીં, પરંતુ જેવો જ મેં ફોન મુક્યો કે ફરીથી ફોનની વાગી ઉઠ્યો.આ વખતે જલંધરથી એક અખબારથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે કહ્યું કે પોલીસે પ્રેસ પર કબજો કરી દીધો છે અને તે દિવસની અખબારની બધી કોપીઓ જપ્ત કરી દીધી છે. તેના પછી મારી ઓફિસથી ફોન આવ્યો 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અને કહ્યું કે નવી દિલ્હીના બહાદુર શાહ ઝફર માર્ગ સ્થિત તમામ અખબારોના દફતરોની વીજળી કાપી દેવામાં આવી છે અને અનઅધિકારીત સૂત્રો કહી રહ્યા છે કે નિકટ ભવિષ્યમાં તેના ચાલુ થવાની કોઈ સંભાવના નથી.
સાચે કહું તો મને આ ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ દેખાયો નહીં.મને લાગ્યું કે નોકરશાહો ફરીથી પોતાની હરકતો પર ઉતરી આવ્યા છે.ઘણા મહિના પહેલાં દિલ્હીના અખબારોની વીજળી કાપી દેવામાં આવી હતી. ત્યારે બસ ડ્રાઈવરો હડતાળ ઉપર હતા.તેના દસ કલાક પછી વિજળી ફરીથી ચાલુ કરવામાં આવી હતી.આ વખતે કદાચ સરકાર ઈચ્છતી ન હતી કે અખબારોમાં ૨૫ જૂને થયેલ જનતા પાર્ટીની રેલીની ખબર છપાય જેમાં નારાયણે સત્યાગ્રહનું આહ્વાન કર્યું હતું.
પછી ઈરફાન ખાનનો ફોન આવ્યો,જે તે વખતે 'એવરીમેન' નામના સાપ્તાહિકમાં કામ કરતા હતા.જેને જે.પી.એ શરૂ કર્યું હતું.તેમણે જણાવ્યું કે તેમને ઘણી મોટી સંખ્યામાં નેતાઓને ધરપકડ કરવાના સમાચારો મળ્યા છે, જેમાં જે. પી.,મોરારજી અને ચંદ્રશેખર સામેલ હતા.થોડા કલાકો બાદ ઈમરજન્સી અને સેન્સરશીપની જાહેરાત થઈ. એક દેશને બાંધી દેવામાં આવ્યો હતો અને તેનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું.
એક સંવાદદાતા માટે એનાથી વિશેષ નિરાશ કરનારી અને કંઈ પણ ન કરી શકવાની તે આવી ખબર મેળવે,જેને તે જાણે છે કે છાપી શકાતું નથી.ઝડપથી એ સાફ થઈ ગયું કે ઇમરજન્સી ઓપરેશન કામયાબ થઈ ગયું હતું અને લોકતંત્ર માટે એક અંતહીન રાતની શરૂઆત થતી દેખાઈ રહી હતી,પરંતુ આશાનું કિરણ ચાહે કેટલુંય ધૂંધળુ કેમ ન હોય,પરંતુ નોટ્સ બનાવતા રહેવા અને કોઈ દિવસ એક પુસ્તક લખવાની વાતો મારા દિમાગમાં ત્યારે આવી. જ્યારે હું ઇમર્જન્સીના કારણો પર રિસર્ચ કરી રહ્યો હતો,સૂચનાઓ મેળવવી પણ ખૂબ કઠિન હતું. પરિસ્થિતિ એટલી ભયાનક હતી કે ગણ્યાગાંઠ્યા લોકો જ મોઢું ખોલવા તૈયાર હતા.મને થોડીક જાણકારી મળી ગઈ ,પરંતુ ૨૬ જુલાઈએ મારી ધરપકડ કરવામાં આવી. સાત અઠવાડિયા પછી મને છડ્યા પછી હું ફરીથી છુટેલા કામને આગળ ધપાવી શક્યો.
૧૮ જાન્યુઆરીએ ચૂંટણીની જાહેરાત પછી, ઇમર્જન્સીમાં થોડી ઢીલ આપ્યા પછી પણ થોડાક જ લોકો મારાથી વાત કરવા રાજી થયા,પરંતુ ચૂંટણી પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ અને હું ,સંજય ગાંધી ,આર.કે ધવન, એચ. આર.ગોખલે, ચંદ્રજીત યાદવ, રુકસાના સુલતાના,શ્રીમતી ફખરૂદ્દીન અલી અહમદ અને પોલીસ તેમજ અન્ય વિભાગોના પ્રમુખ અધિકારીઓથી વાતચીત કરી શક્યો.આ લોકો નહોતા ઇચ્છતા કે કઈ પણ એમના હવાલાથી લખાય અને મેં મારો વાયદો નિભાવ્યો. પરંતુ તેમણે ખુલીને વાત કરી અને ઇમરજન્સીની લગભગ વાતો જેને મેં ફરીથી વણી. તેમના નિવેદનો પર આધારિત છે. મેં કમ સે કમ છ વખત શ્રીમતી ગાંધીનો ઇન્ટરવ્યૂ લેવા માટે સંપર્ક કર્યો, પરંતુ તેમણે મારા આગ્રહનો સ્વીકાર કર્યો નહીં.
મેં ઈમરજન્સી દરમિયાન બે વખત પુરા દેશનું ભ્રમણ કર્યું. એક વખત ઓક્ટોબર નવેમ્બર ૧૯૭૫ માં અને પછી ૧૯૭૬ના મધ્યમાં.આ દરમિયાન હું તમામ લોકોથી મળ્યો અને ઘણી બધી જાણકારી એકઠી કરી. મને થોડીક ભૂમિગત રૂપથી પ્રકાશિત સામગ્રી પણ મળી.જે ૧૯ મહિનાના આતંક દરમિયાન સામે આવી હતી.
હું એવો દાવો નથી કરતો કે ઇમર્જન્સીની બધી જ ઘટનાઓ આ પુસ્તકમાં છે. એક કારણ એ છે કે તેની કહાણી એટલી લાંબી છે કે થોડાક હજાર શબ્દોમાં તેને સમાવવી સંભવ નથી. બીજું એ કે મેં અનેક આરોપો અને અફવાઓની પુષ્ટિ કરી શક્યો નહીં જે ઇમર્જન્સી ઉઠાવ્યા પછીની હતી યા ઇમરજન્સી દરમિયાન કરવામાં આવેલા અત્યાચારોનો પર્દાફાશ કરનારી હતી. તોપણ જે પણ આ પુસ્તકમાં છે તેની પુષ્ટિ અને ફરીથી પુષ્ટિ કરવામાં આવી છે.
હું જાણું છું કે થોડીક વાતો જે મેં સામે મૂકી છે, તે ઘણા લોકોને સારી નહીં લાગે અને થઈ શકે છે કે તે લોકો તેનું ખંડન પણ કરે.હું તેમનાથી વાદવિવાદ નથી કરવા ઈચ્છતો. મેં માત્ર ઘટનાઓનું સાચું રિપોર્ટિંગ કર્યું છે અને પોતાનું કામ કર્યું છે.આમાં કોઈના પ્રત્યે દ્વેષની ભાવના નથી. હું પોતાના પૂરા સામર્થ્ય અનુસાર હું નિષ્પક્ષ રહ્યો છું.
પોતાના પ્રવાસો અને સાક્ષાત્કારો દરમિયાન મેં એક વાત પર ધ્યાન આપ્યું છે કે ચાહે બધા કેટલા ડબ્બુ કેમ ન રહ્યા હોય, થોડાક લોકોએજ નિરંકુશ આસનને સ્વીકાર કર્યો હતો. ભય અને આજ્ઞાકારીતા હતી, પરંતુ સ્વીકાર્યતા નહોતી. આખરે કોણ લોકો હતા જેમણે ડરાવ્યા અને સરકારમાં બીજે ક્યાંય પણ કોઈએ પણ તેના વિરુદ્ધ સંઘર્ષ કેમ ન કર્યો? આ પ્રશ્નો પર એક ખુલ્લી ચર્ચા થવી જોઈએ.
- કુલદીપ નૈયર ('ઈમરજન્સી કી ઈનસાઈડ સ્ટોરી' પુસ્તક)

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...