Skip to main content

ડો. લક્ષ્મી સહગલ




સિંગાપુરના એક દક્ષિણ ભારતીય નાગરિક ડો.સ્વામીનાથનની પુત્રી ડો. લક્ષ્મી સ્વામિનાથન મેડિકલ કોલેજથી 1937 માં એમ.બી.બી.એસ ની ઉપાધિ પ્રાપ્ત કરી. તેણીએ તેમની માતુશ્રીની પ્રેરણાથી આઝાદ હિન્દ ફોજમો સેવા કરવાનો નિર્ણય લીધો.

જેલથી છૂટ્યા પછી 21 ઓક્ટોબર 1945 ના દિવસે આઝાદ હિન્દ ફોજની સ્થાપના દિવસના અવસરે તેણીએ જનસભામાં ભાષણ આપ્યું કે આઝાદ હિન્દ ફોજ ભંગ કરવામાં આવી છે, પરંતુ તેનો ઉદ્દેશ હજી સુધી પૂરો થયો નથી.
જ્યારે દિલ્હીમાં આઝાદ દિન ફોજના સૈનિકો પર કેસ ચાલી રહ્યા હતા, ત્યારે તેણે તેનો જોરશોરથી વિરોધ કર્યો.અંગ્રેજ અધિકારીઓએ તેણીને પાછા ફરવાની નોટિસ આપી, પરંતુ તેણી દિલ્હીથી બહાર ગઈ નહિ. અંગ્રેજોએ બીજી નોટિસ આપી ત્યારે તેણીને મજબૂરીથી દિલ્હી છોડવું પડ્યું. પ્રતિબંધ સમાપ્ત થયા પછી તેણી ભારત આવ્યા તથા આઝાદ હિન્દ ફોજ ના કર્નલ સહગલ થી તેમણે વિવાહ કરી લીધા તથા તેણી ડો. લક્ષ્મી સહગલ બની ગયા.
વિવાહ પછી તેમણે કાનપુરમાં મેડિકલ પ્રેક્ટિસ શરૂ કરી. 1952 માં તેણીએ ડો. સુનંદાબાઈ સાથે ગામડામાં જઈને કામ કર્યું. 1971 માં બાંગ્લાદેશ યુદ્ધમાં તેણીએ કલકત્તામાં 'પીપલ્સ રીલીફ કમિટી' માં સામેલ થઈ કામ કર્યું. 2002 માં લક્ષ્મી સહગલ રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યા.પછી 'જનવાદી મહિલા સમિતિ' સાથે જોડાયા.
પદ્મ ભૂષણ પુરસ્કૃત, કેપ્ટન લક્ષ્મી સહગલ ઇતિહાસની સૌથી આકર્ષક મહિલાઓમાંની એક છે. આજે આપણે એ હિંમતવાન સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કરીએ છીએ જેમણે પોતાનું જીવન દેશ માટે સમર્પિત કર્યું હતું. આઝાદ હિંદ ફોજની ઝાંસી રેજિમેન્ટની રાણીની આગેવાની હેઠળ કેપ્ટન લક્ષ્મી સહગલ દ્વારા કરેલી સેવાઓ માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...