Skip to main content

સંત કબીર

 


સંત કબીર સાહેબનો જન્મ વિક્રમ સંવત્ ૧૪૫૬ માનવામાં આવે છે.દંતકથા અનુસાર નીરુ વણકર જ્યારે તેમની પત્નીને પરણીને પહેલીવાર ઘરે વળતા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને કાશી પાસે લહરતારા તળાવ પર એક નવજાત બાળક પડેલું દેખાયું, તેને ઉઠાવી તેઓ પોતાના ઘરે લઈ ગયા.આજ બાળક મોટો થઈ કબીરના નામે પ્રસિદ્ધ થયા.મુસલમાન વણકર પરિવારમાં તેમનું પાલન પોષણ થયું.સ્વામી રામાનંદે કબીરને તેમના ગુરુ સ્વીકાર કર્યા - "કાશી મેં હમ પ્રગટ ભયે હૈ, રામાનંદ ચેતાયે." મુસલમાન કબીરપંથી માને છે કે કબીરે સૂફી ફકીર શેખ તકી પાસેથી ગુરુદક્ષિણા લીધી હતી.કબીરે તેમનો પૈતૃક વ્યવસાય છોડ્યો જ નહીં,પરંતુ નિર્ગુણ નિરાકારનો તાનોબાનો વણતા રહ્યા,શબ્દ અને સાખીની રચના કરતા રહ્યા.પોતાની મહેનતની જ કમાણીનું ખાધું જ નહીં,પરંતુ અન્ય સાધુ-સંતોને ખવડાવ્યું,એમની દરેક રીતે સેવા કરવી તેમના કર્મવાદને રેખાંકિત કરે છે. કબીર સાથે ઘણી ચમત્કારપૂર્ણ ઘટનાઓ જોડાયેલી છે.એનાથી એ વખતની સામાજિક વ્યવસ્થાના મઠાધીશોની ક્રૂરતા,તેમને અનેક યાતનાઓ આપી, તોપણ કબીરે હિંદુ - મુસલમાન અને સંપ્રદાયોની ઘણી બધી અંધવિશ્વાસપૂર્ણ રૂઢિવાદી ધારણાઓની સદા આલોચના કરી અને નિર્ગુણ નિરાકારના તેમના વિચારો પર અડગ રહ્યા.

એ પ્રસિદ્ધ છે કે કાશીમાં પ્રાણ ત્યાગ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને મગહરમાં મૃત્યુ થવા પર નરક મળે છે.કબીર કેમકે તીર્થો વગેરેના પણ વિરોધી હતા, તેથી કાશી છોડી મગહર ચાલ્યા ગયા પરંતુ એ કાર્યથી પણ તેમને પીડા થઈ.
કહેવાય છે કે તેમના શવને લઈને તેમના હિન્દુ અને મુસલમાન શિષ્યોમાં ઝઘડો થઈ ગયો.હિન્દુ તેમના હિન્દુ રીતથી દાહ સંસ્કાર કરવા ઇચ્છતા હતા તો મુસલમાન દફનાવા ઇચ્છતા હતા. કફન ઉઠાવી જોયું તો ત્યાં ફુલ પડેલા હતા. બંને સંપ્રદાયના શિષ્યોએ અડધા અડધા ફૂલો વહેંચી લીધા.તેમનો સત્ય પ્રયાણ વિક્રમ સંવત ૧૫૭૫ માનવામાં આવે છે.તેમની વાણી બીજક ગ્રંથમાં સંગ્રહિત છે.
સૌજન્ય : ડો. બલદેવ વંશી (દોહાકોશ પુસ્તક)

तिनका कबहुं ना निन्दिये, जो पांवन तर होय,
कबहुं उड़ी आंखि न पड़े, तो पीर घनेरी होय।
ऐसी वाणी बोलिए, मन का आपा खोये।
औरन को शीतल करे, आपहुं शीतल होए।।
ક્રાંતિકારી મહાન સંત કબીર દાસજીને જાતિ ભેદભાવ, દંભ અને સાંપ્રદાયિકતા સામેના તેમના લખાણો માટે તેમની જન્મજયંતિ પર આદરણાંજલી.
સંત કબીર દાસ હિન્દી સાહિત્યના ભક્તિ કાળના એકમાત્ર એવા કવિ છે, જેમણે જીવનભર સમાજ અને લોકોમાં પ્રવર્તતી આડંબરો પર કુઠારાઘાત કરતા રહ્યા. તેઓ કર્મપ્રધાન સમાજના હિમાયતી રહ્યા હતા અને તેની ઝલક તેમની રચનાઓમાં સ્પષ્ટપણે જોવા મળે છે. જાણે તેમનું સમગ્ર જીવન લોકકલ્યાણ માટે જ હતું. , કબીરની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમની પ્રતિભામાં અવિરત ગતિ અને અદમ્ય પ્રખરતા અને દંભ-પાખંડ વિરુદ્ધ સ્પષ્ટ દ્રષ્ટિ હતી.નાગરિક સમાજમાં કબીરને જાગરણ યુગના અગ્રદૂત કહેવામાં આવે છે. કબીરે એવા યુગમાં સમાજને ધર્મના દુષણો સામે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો જ્યારે સમાજ સંપૂર્ણ રીતે આત્યંતિક ધાર્મિક અંધશ્રદ્ધાઓ અને દેખાડાથી બંધાયેલો હતો. આજે પણ કબીર એટલા જ સુસંગત છે.ડૉ.હઝારી પ્રસાદ દ્વિવેદીએ લખ્યું છે કે, આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રમાં તેઓ યુગ-યુગોના ગુરુ હતા, તેમણે સંત કાવ્યનો માર્ગ બતાવીને સાહિત્ય ક્ષેત્રે નવું સર્જન કર્યું હતું.

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...