Skip to main content

સંત કબીર

 


સંત કબીર સાહેબનો જન્મ વિક્રમ સંવત્ ૧૪૫૬ માનવામાં આવે છે.દંતકથા અનુસાર નીરુ વણકર જ્યારે તેમની પત્નીને પરણીને પહેલીવાર ઘરે વળતા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને કાશી પાસે લહરતારા તળાવ પર એક નવજાત બાળક પડેલું દેખાયું, તેને ઉઠાવી તેઓ પોતાના ઘરે લઈ ગયા.આજ બાળક મોટો થઈ કબીરના નામે પ્રસિદ્ધ થયા.મુસલમાન વણકર પરિવારમાં તેમનું પાલન પોષણ થયું.સ્વામી રામાનંદે કબીરને તેમના ગુરુ સ્વીકાર કર્યા - "કાશી મેં હમ પ્રગટ ભયે હૈ, રામાનંદ ચેતાયે." મુસલમાન કબીરપંથી માને છે કે કબીરે સૂફી ફકીર શેખ તકી પાસેથી ગુરુદક્ષિણા લીધી હતી.કબીરે તેમનો પૈતૃક વ્યવસાય છોડ્યો જ નહીં,પરંતુ નિર્ગુણ નિરાકારનો તાનોબાનો વણતા રહ્યા,શબ્દ અને સાખીની રચના કરતા રહ્યા.પોતાની મહેનતની જ કમાણીનું ખાધું જ નહીં,પરંતુ અન્ય સાધુ-સંતોને ખવડાવ્યું,એમની દરેક રીતે સેવા કરવી તેમના કર્મવાદને રેખાંકિત કરે છે. કબીર સાથે ઘણી ચમત્કારપૂર્ણ ઘટનાઓ જોડાયેલી છે.એનાથી એ વખતની સામાજિક વ્યવસ્થાના મઠાધીશોની ક્રૂરતા,તેમને અનેક યાતનાઓ આપી, તોપણ કબીરે હિંદુ - મુસલમાન અને સંપ્રદાયોની ઘણી બધી અંધવિશ્વાસપૂર્ણ રૂઢિવાદી ધારણાઓની સદા આલોચના કરી અને નિર્ગુણ નિરાકારના તેમના વિચારો પર અડગ રહ્યા.

એ પ્રસિદ્ધ છે કે કાશીમાં પ્રાણ ત્યાગ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને મગહરમાં મૃત્યુ થવા પર નરક મળે છે.કબીર કેમકે તીર્થો વગેરેના પણ વિરોધી હતા, તેથી કાશી છોડી મગહર ચાલ્યા ગયા પરંતુ એ કાર્યથી પણ તેમને પીડા થઈ.
કહેવાય છે કે તેમના શવને લઈને તેમના હિન્દુ અને મુસલમાન શિષ્યોમાં ઝઘડો થઈ ગયો.હિન્દુ તેમના હિન્દુ રીતથી દાહ સંસ્કાર કરવા ઇચ્છતા હતા તો મુસલમાન દફનાવા ઇચ્છતા હતા. કફન ઉઠાવી જોયું તો ત્યાં ફુલ પડેલા હતા. બંને સંપ્રદાયના શિષ્યોએ અડધા અડધા ફૂલો વહેંચી લીધા.તેમનો સત્ય પ્રયાણ વિક્રમ સંવત ૧૫૭૫ માનવામાં આવે છે.તેમની વાણી બીજક ગ્રંથમાં સંગ્રહિત છે.
સૌજન્ય : ડો. બલદેવ વંશી (દોહાકોશ પુસ્તક)

तिनका कबहुं ना निन्दिये, जो पांवन तर होय,
कबहुं उड़ी आंखि न पड़े, तो पीर घनेरी होय।
ऐसी वाणी बोलिए, मन का आपा खोये।
औरन को शीतल करे, आपहुं शीतल होए।।
ક્રાંતિકારી મહાન સંત કબીર દાસજીને જાતિ ભેદભાવ, દંભ અને સાંપ્રદાયિકતા સામેના તેમના લખાણો માટે તેમની જન્મજયંતિ પર આદરણાંજલી.
સંત કબીર દાસ હિન્દી સાહિત્યના ભક્તિ કાળના એકમાત્ર એવા કવિ છે, જેમણે જીવનભર સમાજ અને લોકોમાં પ્રવર્તતી આડંબરો પર કુઠારાઘાત કરતા રહ્યા. તેઓ કર્મપ્રધાન સમાજના હિમાયતી રહ્યા હતા અને તેની ઝલક તેમની રચનાઓમાં સ્પષ્ટપણે જોવા મળે છે. જાણે તેમનું સમગ્ર જીવન લોકકલ્યાણ માટે જ હતું. , કબીરની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમની પ્રતિભામાં અવિરત ગતિ અને અદમ્ય પ્રખરતા અને દંભ-પાખંડ વિરુદ્ધ સ્પષ્ટ દ્રષ્ટિ હતી.નાગરિક સમાજમાં કબીરને જાગરણ યુગના અગ્રદૂત કહેવામાં આવે છે. કબીરે એવા યુગમાં સમાજને ધર્મના દુષણો સામે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો જ્યારે સમાજ સંપૂર્ણ રીતે આત્યંતિક ધાર્મિક અંધશ્રદ્ધાઓ અને દેખાડાથી બંધાયેલો હતો. આજે પણ કબીર એટલા જ સુસંગત છે.ડૉ.હઝારી પ્રસાદ દ્વિવેદીએ લખ્યું છે કે, આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રમાં તેઓ યુગ-યુગોના ગુરુ હતા, તેમણે સંત કાવ્યનો માર્ગ બતાવીને સાહિત્ય ક્ષેત્રે નવું સર્જન કર્યું હતું.

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...