Skip to main content

ચંદ્રશેખર આઝાદની સ્વરચિત બે કવિતાઓ


 "ગરીબને મળે રોટલી તો મારો જીવ સસ્તો છે": ચંદ્રશેખર આઝાદની સ્વરચિત બે કવિતાઓ

ગઈકાલે, ચંદ્રશેખર આઝાદના જન્મદિવસના સંદર્ભમાં, પ્રથમવાર અહીં તેમની બે કવિતાઓ રજૂ કરી રહ્યા છીએ, જે ખરા અર્થમાં ઈતિહાસના પાનાઓમાં દટાઈ ગઈ હતી.
સંઘર્ષશીલ લોકો અનાદિ કાળથી કવિતાઓ દ્વારા તેમના દુ:ખ અને આકાંક્ષાઓને વ્યક્ત કરતા આવ્યા છે. કવિતા એ માધ્યમ છે જે લડવા માટે હિંમત આપે છે અને મુશ્કેલ માર્ગો સરળ બનાવે છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં, કવિઓ અને લેખકોએ જન જાગૃતિમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં ક્રાંતિકારીઓ દ્વારા રચિત કવિતાઓ અને નઝમોનું મહત્વનું સ્થાન છે. રામપ્રસાદ બિસ્મિલ દ્વારા રચિત 'સરફરોશી કી તમન્ના' આજે પણ જન સંઘર્ષનું અભિન્ન સૂત્ર છે. આપણે હજુ પણ અશફાકુલ્લા ખાન દ્વારા લખેલા ગીતો ગાઈએ છીએ અને તેમની પાસેથી પ્રેરણા લઈએ છીએ.
કવિતાનું વાંચન અને લેખન એ ભારતીય ક્રાંતિકારી ચળવળનો અભિન્ન અંગ રહ્યું. ભગતસિંહ, બટુકેશ્વર દત્ત અને વિજય કુમાર સિન્હાને શેરો-શાયરીમાં ખૂબ જ રસ હતો. તેમના સાથીઓનો કવિતા પ્રત્યેનો પ્રેમ જોઈને, રાજગુરુએ પણ એક વખત કવિતા લખવામાં હાથ અજમાવ્યો, જેનું પરિણામ નીચેની પંક્તિઓ હતી; "अब तक नहीं मालूम था, इश्क़ क्या चीज है, रोजे को देखकर मेरे इश्क़ ने बलवा किया।" આ પંક્તિઓ સાંભળ્યા પછી ભગતસિંહે રાજગુરુને પોતાની રિવોલ્વર આપી અને કહ્યું, 'મારા પર ગોળી ચલાવો અથવા મને વચન આપો કે આજથી હું શેરો-શાયરીનું નામ નહીં લઉં'. (હાહાહા)
આ સંદર્ભમાં ચંદ્રશેખર આઝાદ પણ કવિતાના પ્રેમથી દૂર રહી શક્યા નહીં. તેમના સાથી અને જીવનચરિત્રકાર વિશ્વનાથ વૈશમ્પાયનના જણાવ્યા મુજબ, આઝાદ કેવી રીતે ગાવું તે જાણતા ન હતા પરંતુ તે કાવ્યપ્રેમી હતા અને ઘણી વખત અહીં અને ત્યાં પંક્તિઓ ગણગણતા હતા. આઝાદને પ્રેમની કે મધુર લાગણીની કવિતાઓ ગમતી ન હતી. આ સંદર્ભમાં આઝાદના સાથીદાર ભગવાનદાસ માહૌર એક ઘટનાનો ઉલ્લેખ કરતાં લખે છે - હું કોઈ બાબત પર મારું એક પ્રેમ-ગીત સંભળાવી રહ્યો હતો-
"ह्रदय लागी,
प्रेम ही की बात निराली,
मन्मथशर हो..."
આ પંક્તિઓ સાંભળીને આઝાદને ગુસ્સો આવી ગયો અને તેણે કહ્યું, "શું પ્રેમ-પ્રેમ કરી રહ્યો છે. પોતાનું અને બીજાનું મન કેમ બગાડી રહ્યો છે. આ જીવનમાં પ્રેમ-વ્રેમની તક ક્યાં મળશે? કાલે ક્યાંક રસ્તાના કિનારે પોલીસની ગોળી ખાધા પછી ક્યાંક પડેલા જોવા મળશું.મન્મથશર-કાનમથશર!...અરે કંઈક 'બોમ્બ ફોડી, પિસ્તોલ ઝાટકી, એવું કંઇક ગા. જો, હું મારી એક કવિતા ગાઈશ, જે હું જીવનમાં કંઈક કરવા માટે જ જીવતો છું." આઝાદે પછી તેની પંક્તિઓ ગાયી જેનાથી તે આજે ઓળખાય છે; "दुश्मन की गोलियों का हम सामना करेंगे, आज़ाद ही रहे हैं आज़ाद ही रहेंगे।"
("આપણે દુશ્મનની ગોળીઓનો સામનો કરીશું, આઝાદ જ રહ્યા છીએ,આઝાદ જ રહીશ. ")
કહેવાની જરૂર નથી કે આઝાદે કવિતા લખવામાં પણ હાથ અજમાવ્યો હતો.ચંદ્રશેખર આઝાદના જન્મદિવસના સંદર્ભમાં, અમે પ્રથમવાર અહીં તેમની બે કવિતાઓ રજૂ કરી રહ્યા છીએ, જે ખરા અર્થમાં ઈતિહાસના પાનાઓમાં દટાઈ ગઈ હતી. આ બંને કવિતાઓ બનારસના બળદેવ પ્રસાદ શર્મા દ્વારા સંપાદિત પુસ્તક 'શ્રી ચંદ્રશેખર આઝાદની જીવનચરિત્ર'માંથી લેવામાં આવી છે જે રાષ્ટ્રીય આર્કાઇવ્ઝના પ્રતિબંધિત સાહિત્ય વિભાગમાં સચવાયેલી છે.
कविता-1
“वही शाहे शहीदां है, वही है रौनके आलम ।
वतन पर देके जां जो जंग के मैंदा में सोता है ।।
उसीका नाम रोशन हैं, उसीका नाम बाक़ी है ।
कि जिसकी मौत पर दुनियाँ का हर इंसान रोता है ।।
ज़रा बेदार हो, अब ख़वाबे ग़फ़लत से जवानो तुम ।
कि जिसमें जोरें बाजू है, वही "आज़ाद" होता है ।।
यही दुनियाँ से अब इस सुरमा की रूह कहती है ।
गरीबों को मिले रोटी तो मेरी जान सस्ती है ।।”
कविता-2
“हम दिखायेंगे तुम्हें वह कुव्वते फ़रियाद की ।
बेसीदा होगी नहीं ज़ंजीर है आज़ाद की ।।
कौन कहता है कि मेरा रायगां खूँ जायगा ।
मरने वालों ने जब एक दुनियाँ नई आबाद की ।।
किस तरह से जंग करते हैं वतन के वास्ते ।
किस तरह से जान देते हैं वतन के वास्ते ।।
फ़क़त दुनियाँ में तुम्हें थे यह बताने आये हम।
खुश रहो अहले वतन चलते हैं वन्देमातरम् ।।”
આ બંને કવિતાઓમાં આપણને ચંદ્રશેખર આઝાદના વિચારો અને વિશાળ ક્રાંતિકારી ચળવળની ઝલક મળે છે. બંને કવિતાઓ યુવાનોને દેશની આઝાદી માટે લડવા માટે પ્રેરિત કરવાના હેતુથી લખવામાં આવી છે.સાથે સાથે જ એક ક્રાંતિકારી વર્તમાન અને ભવિષ્યમાં પોતાની ભૂમિકાને કેવી રીતે જુએ છે તેની પણ ઝલક જોવા મળે છે. બંને કવિતાઓમાં, આપણે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લાહ ખાનનો પ્રભાવ પણ જોઈએ છીએ જેમણે શહીદી પહેલાં સમાન ભાવનાઓની કેટલીક કવિતાઓ અને નઝમોની રચના કરી હતી.
પ્રથમ કવિતાની છેલ્લી પંક્તિમાં આઝાદે ક્રાંતિકારીના જીવનની કિંમત ગરીબોની થાળીની રોટલી કરતાં પણ ઓછી ગણાવી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આઝાદ માટે ક્રાંતિકારી હોવાનો અર્થ માત્ર સત્તા બદલવાનો કે ભગતસિંહની ભાષામાં કહીએ તો 'ગોરા અંગ્રેજો'ની જગ્યાએ 'ભૂરા અંગ્રેજો'ની સત્તા સ્થાપિત કરવાનો જ નહીં, ગરીબી દૂર કરવાનો પણ હતો. આ ગીતમાં આઝાદની સમાજવાદી વિચારધારાની એ જ ઝલક આપણને જોવા મળે છે, જે તેઓ વારંવાર ગુંજાવતા હતા -
"जोहि दिन होइहैं सूरजवा
अरहर के दलीय, धान के भतुआ
खूब कचरके खैबेना
अरे जोहि दिन होइहैं सूरजवा।"
(सूरजवा अर्थात स्वराज)
આ પંક્તિઓમાં, ચંદ્રશેખર આઝાદનું સ્વતંત્ર ભારત વિશેનું સ્વપ્ન જોવા મળે છે, જેના માટે તેમણે અંગ્રેજ શાસન સામે લડતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ ચંદ્રશેખર આઝાદનું આ સપનું અધૂરું જ રહ્યું.
"गरीबों को मिले रोटी तो मेरी जान सस्ती है” (“ગરીબોને રોટલી મળે, તો મારો જીવ સસ્તો છે”) ; તમે આ પંક્તિ, આ સૂત્ર અને કહેવત ઘણી વખત સાંભળી હશે. સામાન્ય રીતે આ વિધાન દેશના સમાજવાદી અને સામ્યવાદી ચળવળમાં લાંબા સમયથી ઉપયોગમાં લેવાય છે, પરંતુ કદાચ કોઈને આ સૂત્ર ક્યાંથી અને કોણે શરૂ કર્યું તેની ખબર નથી. ચંદ્રશેખર આઝાદ દ્વારા રચિત કવિતા વાંચીને, આજે આપણે આ સૂત્રના ઇતિહાસનો અંદાજ લગાવી શકીએ છીએ.
સ્વાતંત્ર્ય સંગ્રામનો એક શેર છે,"शहीदों की मज़ारों पर लगेंगे हर बरस मेले/ वतन पर मरने वालों का यही बाकी निशां होगा"। આઝાદ ક્યારેક આ શેરને મજાકમાં કે ટોણામાં બદલી નાખતા અને કહેતા કે,"शहीदों की चिताओ पर पड़ेंगे खाक के ढेले। वतन पर मिटने वालों का यही बाकी निशां होगा"
આજના યુગમાં, શહીદોની સમાધિ પર વર્ષમાં બે વાર મેળા તો ચોક્કસપણે ભરાય છે, તેમના ચિત્રો આગળ ફૂલો અને હાર ચઢાવવામાં આવે છે, પરંતુ માત્ર તેમની બહાદુરીની પૂજા કરવા માટે. એ શહીદો શું વિચારતા હતા, કેવું ભારત તેમના સપનામાં હતું અને એના માટે લડ્યા હતા અને ખુશીથી મોતને ભેટ્યા હતા, તેમની ચર્ચા નહિવત છે.
આજના નવ-ઉદારવાદી યુગમાં જ્યાં સરકાર અને મૂડીવાદીઓ દ્વારા ગરીબોના પેટ પર ચોતરફ હુમલો કરવામાં આવી રહ્યો છે, ગરીબોની થાળીમાંથી રોટલી અને દાળ છીનવાઈ રહી છે અને મૂડીવાદીઓની તિજોરીઓ ભરાઈ રહી છે, ત્યારે આઝાદના લખાણો વધું પ્રાસંગિક બની જાય છે. આજની ભયાનક શોષણ પ્રણાલીમાં, આઝાદને માત્ર રિવોલ્વર પકડીને મૂછો પર પથ્થર મારવા જેવું જ હશે, જેની આઝાદે એક વખત દુઃખી હૃદયે કલ્પના કરી હતી.
- અંકુર ગોસ્વામી, હર્ષવર્ધન, પ્રબલ સરણ અગ્રવાલ
(23 જુલાઇ 2022,ત્રણેય લેખકો જેએનયુના શોધાર્થીં છે.)

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...

ઓળખ ચોરી (IDENTITY THEFT), ફ્રોડ અને સાયબરક્રાઇમ

  સ્પામ અને ફિશિંગ ( Spam and Phishing ) લોકોને આકર્ષિત કરવાના હેતુથી તમને કોઈ લિંક પર ક્લિક કરવા અથવા કોઈ કડી ખોલવા માટેના પ્રયત્નોમાં સાયબર ક્રિમિનલ્સ ખુબ જ    સમજદાર હોય છે. દૂષિત( Malicious ) ઇમેઇલ: દૂષિત ઇમેઇલ વિશ્વનીય નાણાકીય સંસ્થા ,  ઇ-કોમર્સ સાઇટ ,  સરકારી એજન્સી અથવા કોઈપણ અન્ય સેવા અથવા વ્યવસાય દ્વારા આવ્યો હોય એવું આબેહુબ લાગે છે. આવા ઈમેઈલ હંમેશાં તમને ઝડપથી કાર્યવાહી કરવા વિનંતી કરે છે ,  કારણ કે તમારા એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે ,  તમારો ઓર્ડર પૂરો થઈ શકતો નથી અથવા ધ્યાન આપવાની બીજી તાકીદ કરવામાં આવે છે.   જો તમને ખાતરી હોતી નથી કે ઇમેઇલ વિનંતી કાયદેસર છે કે નહીં ,  તો તેને આ પ્રમાણેના પગલાથી ચકાસવાનો પ્રયાસ કરો:   કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર અથવા ક્રેડિટ કાર્ડ પાછળ ,  એકાઉન્ટ સ્ટેટમેન્ટ પર આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરીને - સીધો કંપનીનો સંપર્ક કરો કે આમાં સત્યતા શું છે ?   સર્ચ એન્જીન યા અન્ય રીતે   ઓનલાઇન આવી કંપની માટે શોધ કરો - પરંતુ ઇમેઇલમાં જે માહિતી આપેલી છે એ રીતે ક્યારેય શોધશો નહ...