Skip to main content

યશપાલ શર્મા - દિલીપકુમાર

 


૧૯૮૧માં દિલીપ કુમારની ફિલ્મ 'ક્રાંતિ' રિલીઝ થાય છે જે યશપાલ શર્માને ખુબ ગમતી હોય છે અને વારંવાર આ ફિલ્મ નિહાળતા.. ત્યારે સંદીપ પાટીલ યશપાલને પૂછે છે કે 'ક્રાંતિ' ફિલ્મ આટલી કેમ પસંદ છે? યશપાલ શર્માનો જવાબ હોય છે કે આની પાછળ પણ એક કિસ્સો છે. તેઓની પસંદગી ક્રિકેટમાં થવા પાછળ દિલીપકુમાર કારણભૂત છે.તેમણે જ ક્રિકેટમાં મારી કારકિર્દી બનાવી છે.તેઓ દિલીપકુમારને યુસુફભાઈ કરીને બોલાવતા. સંદીપ પાટીલે પૂછ્યું કે એવું કેવી રીતે? તો યશપાલે જવાબ આપ્યો કે જ્યારે રણજી ટ્રોફી રમતો હતો ત્યારે એક વખત એક મેદાન પર મેચ રમી રહ્યો હતો તે મેદાનના ડાયરેક્ટર દિલીપકુમાર હતા. એ મેદાન પર જ્યારે તેઓ રણજી મેચ રમી રહ્યા હતા અને પોતે 80 રનના સ્કોર પર હતા ત્યારે અચાનક ત્રણ-ચાર વીઆઈપી ગાડીઓ આવે છે,એક ગાડીમાંથી દિલીપકુમાર ઉતરે છે અને મેચ નિહાળે છે.એ દરમિયાન યશપાલ સેન્ચ્યુરી મારે છે.દિલીપકુમાર એમને તાળીઓથી વધાવી ઉત્સાહ પુરો પાડે છે. મેચ પછી તેમને ઓફીસમાં બોલાવવામાં આવે છે અને સામે દિલીપ કુમાર ઊભા હોય છે.. અભિનંદન આપી હાથ મિલાવે છે અને કહે છે કે તારામાં દમ છે.તારા વિશે આગળ વાત કરશે.દિલીપકુમાર રાજસિંહ ડુંગરપુરને વાત કરે છે કે પંજાબનો એક છોકરો છે અને મે એની બેટીંગ જોઈ છે. રાજસિંહ ડુંગરપુર બીસીસીઆઇને વાત કરે છે ને આવી રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગમન થાય છે શર્માજીનો.. આ વાત પાછળથી રાજસિંહ ડુંગરપુર પોતે યશપાલ શર્માને કહે છે કે દિલીપકુમારની સિફારિશ પર એમનું ચયન થયું હતું. પછી તો યશપાલ શર્મા એક પછી એક બહેતરીન પારીઓ ખેલી..1983 નો વર્લ્ડ કપ અપાવવામાં પણ એમનો અહમ ફાળો રહ્યો.. જીવનપર્યંત યશપાલ શર્મા દિલીપકુમારનો એહસાન માનતા રહ્યા અને જ્યારે પણ યુસુફભાઈની તબિયત ખરાબના સમાચાર જ્યારે પણ મળતા ત્યારે પોતે અંદરથી ખુબ દુખી અને પરેશાન થઈ જતા. આ વાત ખુદ યશપાલ શર્માએ ઘણી જગ્યાએ કહી હતી...

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...