Skip to main content

ઇંદિરા ગાંધી


ભારતના પહેલા મહિલા પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917 ના રોજ આનંદ ભવન અલ્હાબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ પંડિત જવાહરલાલ નેહરુ તથા માતાનું નામ શ્રીમતી કમલા નેહરુ હતું. તેમનો જન્મ એવા પરિવારમાં થયો હતો જે દેશમાં તીવ્રતાથી ઘટી રહેલી ઘટનાઓથી સીધી રીતે જોડાયેલ હતું.સ્વતંત્રતા આંદોલન સાથે સક્રિય રૂપથી જોડાયેલા હોવાને કારણે તેમના ઘરનું પૂરું વાતાવરણ બદલાયેલું હતું.તેમનું ઘર દેશના સ્વતંત્રતા આંદોલનની પ્રમુખ ગતિવિધિઓનું ઘર રહ્યું હતું.
નાની ઇન્દિરા તેમના દાદા જોડેથી જૂની વીરાંગનાઓની કથાઓ સાંભળી ભાવવિભોર થઈ જતી હતી.આનંદ ભવનમાં વિશાળ પુસ્તકાલય હતું.ઈન્દુએ 'ઝોન ઓફ આર્ક' નામની વાર્તા વાંચી તથા તેનાથી પ્રેરણા લીધી કે કેવી એક નાની છોકરીએ શત્રુને પોતાના દેશમાંથી ખદેડી દીધો.રાજકીય ગતિવિધિઓના કારણે તેમના પિતા પંડિત જવાહરલાલ નેહરુ લગભગ જેલોમાં રહેતા. પિતા જેલમાં રહીને પણ પત્રોના માધ્યમથી ઇન્દિરાને એ બધું કહેતા જે તેઓ ઈચ્છતા હતા. બાદમાં તે જ પત્રો પુસ્તક 'ઈંદુને પત્રો' નામથી પ્રકાશિત થયા. આ પત્રોના માધ્યમથી ઇન્દિરાએ ભારતની પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિને જાણી.ઘરનો રાજકીય માહોલનો પ્રભાવ શરૂથી જ ઇન્દિરા પર પડ્યો. બાર વર્ષની ઉંમરમાં ઇન્દિરાએ 'વાનર સેના'નું ગઠન કર્યું તથા સ્વતંત્રતા આંદોલનથી સંબંધિત ગુપ્ત સમાચારોને અહીંથી ત્યાં પહોંચાડવાનું કાર્ય કર્યું. પોલીસને તેની ખબર પણ પડવા દીધી નહિ. ઇન્દિરા બાળપણથી જ પોતાના નોકરોને એકત્ર કરીને મેજ પર ચઢીને ભાષણ આપતા હતા.પરંતુ રમત રમતમાં તેમની અભિવ્યક્તિ કળામાં નીખરી આવી હતી.
રાજકીય પ્રભાવને કારણે તેમના શિક્ષણ પર જ્યારે પ્રતિકૂળ પ્રભાવ પડવા લાગ્યો,તો તેમણે ટેગોરના શાંતિનિકેતન મોકલી દેવામાં આવ્યા.કવિ ગુરુ ટેગોરના સંરક્ષણમાં તેમની પ્રતિભામાં નિખાર આવવા લાગ્યો.ત્યાં તેમને જીવનના સંઘર્ષોથી લડવાની પ્રેરણા મળી. ત્યાં રહીને તેમણે મણિપુરી નૃત્યનું શિક્ષણ લીધું. આ વચ્ચે તેમના માતા બીમાર થઈ ગયા અને તેમને ઈલાજ માટે જર્મની લઈ જવામાં આવ્યા.ઇન્દિરાજી તેમની સાથે જર્મની ગયા. ત્યાં તેમની મુલાકાત ફિરોજ ગાંધી સાથે થઈ.નેહરૂજી જેલમાંથી બહાર આવી જર્મની પહોંચ્યા. પરંતુ કમલા નેહરૂને બચાવી શકાયા નહીં.ફિરોજ ગાંધીએ ઇન્દિરાને સાંત્વના આપી તથા ઓક્સફોર્ડમાં અભ્યાસ ચાલુ રાખવાનું સૂચન કર્યું.તેઓ ઓક્સફર્ડ ચાલ્યા ગયા. ત્યાં તેમણે સ્થાનિક દેખરેખ રાખનાર અગાથા ખ્રિસ્તીના પ્રેમ,લાગણી તથા ફિરોજ ગાંધીની દોસ્તીએ તેમના દુઃખ દર્દોને ઘટાડી દીધા.
બીજુ વિશ્વયુદ્ધ શરૂ થયું. 1941મો ઇન્દિરા અભ્યાસ પછી પાછા ફર્યા. ફિરોજ ગાંધી પણ તેમની સાથે પાછા આવી ગયા. ફિરોજે ઇન્દિરાની સામે વિવાહનો પ્રસ્તાવ મુક્યો.ઈંદિરાએ તેને સહર્ષ સ્વીકાર કરી લીધો.બંને પરિવારોની સંમતિથી 26 માર્ચ 1942 ના દિવસે ભારતીય રીત રિવાજોથી ઇન્દિરા ફિરોજના વિવાહ સંપન્ન થયા. 20 ઓગસ્ટ 1944 ઇન્દિરાએ રાજીવને જન્મ આપ્યો. 15 જૂન 1945 એ નેહરુજી જેલમાંથી મુક્ત થઈ ઘરે આવ્યા તથા આનંદ ભવનમાં ખુશીઓ પાછી ફરી.આ બાજુ ઇન્દિરા-ફિરોજ તથા રાજીવ પણ આનંદ ભવનમાં રહેવા લાગ્યા.આનંદ ભવન ખુશીઓથી ભરાઈ ગયું.આ બધા વચ્ચે 14 ડિસેમ્બર 1946 એ ઇન્દિરા એ તેમના બીજા પુત્ર સંજયને જન્મ આપ્યો. ઘરમાં ખુશીઓનો પાર ન રહ્યો.સમયની સાથે બાળકો મોટા થયા તથા તેમણે અભ્યાસ માટે દેહરાદુનની બોર્ડિંગ સ્કૂલમાં મોકલવામાં આવ્યા.
ઇન્દિરા ગાંધીનું રાજકીય સફર જોઈએ તો 10 જાન્યુઆરી 1938 ના રોજ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સદસ્ય બન્યા. 10 ડિસેમ્બર 1942 એ તેમણે નૈનીના કેન્દ્રીય કારાગારમાં બંધ કરી દેવામાં આવ્યા તથા નવ માસ પછી તેમને છોડવામાં આવ્યા. 15 ઓગસ્ટ 1947 એ દેશ આઝાદ થયો. ફિરોજ ગાંધી લખનૌમાં નેશનલ હેરાલ્ડમાં કામ કરતા હતા.ઇન્દિરાજી તેમને મળવા લખનઉ આવતા જતા હતા. બાદમાં તેઓ દિલ્હીમાં તેમના પિતાની સાથે ત્રણ મૂર્તિ ભવન રહેવા લાગ્યા. 1955માં તેઓ કોંગ્રેસ કાર્યકરેણીના સદસ્ય બન્યા તથા 1956માં તેઓ અખિલ ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ. 1959માં તેમને સર્વ સંમતિથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 8 સપ્ટેમ્બર 1960 એ તેમના પતિ શ્રી ફિરોજ ગાંધીનું નિધન થયું. થોડા સમય તેઓ રાજનીતિથી દૂર રહ્યા. પરંતુ ફરીથી સક્રિય થયા. 24 મે 1964 એ નેહરુજીનું અવસાન થયું. હવે તેઓ બિલકુલ એકલા પડી ગયા હતા.
9 જૂન 1964 એ તેમને શાસ્ત્રી મંત્રીમંડળમાં સૂચના અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા. લાલ બહાદુર શાસ્ત્રીના નિધન પછી 24 જાન્યુઆરી 1966 ના રોજ તેઓ ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા. 1967ની સામાન્ય ચૂંટણીઓમાં તેમણે બહુમત મળ્યો તથા ફરીથી તેઓ પ્રધાનમંત્રી બન્યા. તેમના પ્રધાનમંત્રીકાળમાં તેમણે બેંકોનું રાષ્ટ્રીયકરણ (1967), રાજ પરિવારોની પેન્શન બંધ કરવી (1970), ભારત પાકિસ્તાન યુદ્ધ (1971) માં વિજય તથા પોખરણ પરમાણુ પરીક્ષણ (1974) જેવી મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ અર્જિત કરી. આ ઉપલબ્ધિઓ માટે 1972 માં તેમને ભારતનું સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન' પ્રદાન કરવામાં આવ્યો.
જૂન 1975 માં તેમણે દેશમાં 'આપાતકાળ' (ઈમરજન્સી) ની ઘોષણા કરી તથા વિઘટનકારી શક્તિઓને દબાવવાનો નિર્ણય લીધો. પ્રેસ પર પાબંદી લગાવી દીધી. મૌલિક અધિકારો ઘટાડી દીધા. પરંતુ દેશવાસીઓને આ શક્તિ પસંદ આવી નહીં. 1977 ની સામાન્ય ચૂંટણીમાં તેમને જબરદસ્ત હારનો સામનો કરવો પડ્યો. સમતા પાર્ટીનું શાસન આવ્યું.પોતાની આંતર કલહના કારણે આ સંસ્થા અધિક વધુ ચાલી શકી નહીં. 1980 ની મધ્યવર્તી ચુંટણીમાં ઇન્દિરા ગાંધી ફરીથી સત્તામાં આવ્યા. 1942 માં નવમા રમતોત્સવનું આયોજન થયું. ભારતના પ્રથમ અંતરિક્ષયાત્રી રાકેશ શર્માને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા. 1984 માં સુવર્ણ મંદિરમાં આતંકવાદને ખતમ કરવાની કાર્યવાહી કરી.દેશવાસી તેમને દુર્ગાનો અવતાર માનતા હતા. 31 ઓક્ટોબર 1984 એ તેમના જ સુરક્ષા કર્મીઓએ ગોળીઓથી તેમને રહેસી નાખ્યા.આ પ્રકારે દેશે એક સક્ષમ નેતા ખોઈ દીધો.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં રશિયાની સાથે મૈત્રી દ્રઢતા, ચીન, અમેરિકા, પાકિસ્તાન સાથે સંબંધો સુધાર્યા.ફ્રાન્સની સાથે પરમાણુ ઇંધણ સમજૂતી વગેરે અનેક ઉપલબ્ધિઓ રહી. દેશના સ્વતંત્રતા આંદોલનથી ભારતના પ્રધાનમંત્રી સુધીની અવધિમાં આપણા દેશના વિકાસમાં ઇન્દિરા ગાંધીનું મહત્વપૂર્ણ યોગદાન છે. દેશવાસી સદૈવ તેમની સેવાઓનું સ્મરણ કરતા રહેશે.
સૌજન્ય : ભારત કી ગૌરવશાલી મહિલાએ (માધવાનંદ સારસ્વત)

સતત ચાર વખત દેશના પ્રધાનમંત્રી રહેલા ઈંદિરા ગાંધી
મુખ્ય ઉપલબ્ધિઓ :
****************
- હરિત ક્રાંતિ.
- 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ.
- પ્રિવી પર્સ (રાજભથ્થું) ની સમાપ્તિ.
- સ્વતંત્રતા સૈનિક સન્માન પેન્શન યોજના.
- સિક્કિમનું ભારતમાં વિલય.
- પોખરણમાં પહેલું પરમાણુ પરીક્ષણ.
- પહેલી વખત કોઈ ભારતીયે અંતરિક્ષ યાત્રા કરી. અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માને સોયુજ ટી-11 માં લોન્ચ કર્યા.
- જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય,દિલ્હીની સ્થાપના.
સાહસિક પગલા :
**************
- 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતની જીત.બાંગ્લાદેશનું નિર્માણ.
- ઓપરેશન બ્લુ સ્ટાર જેનાથી ખાલિસ્તાની આંદોલનને સમાપ્ત કરવામાં આવ્યું.
મહત્વપૂર્ણ પહેલ :
**************
- ગૌ આયોગનું ગઠન.
- શિકાર પર પ્રતિબંધ.
- રો નું ગઠન
- પંચવર્ષીય યોજનાની અંતર્ગત ગરીબી હટાવોનું સૂત્ર અને નિર્ધનતા સમાપ્ત કરવાના વીસ સુત્રી કાર્યક્રમ.
- બંધારણમાં 'ધર્મનિરપેક્ષતા' અને 'સમાજવાદ' શબ્દોને જોડવા.
- પાકિસ્તાન સાથે સીમલા કરાર.
ઐતિહાસિક કલંક :
***************
- ઇમરજન્સી (આપાતકાળ).

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...