Skip to main content

બેગમ રૂકૈયા સખાવત હુસૈને



બેગમ રૂકૈયા સખાવત હુસૈને દિકરીઓ માટે પ્રથમ શાળા બિહારમાં ખોલી હતી.બેગમ રૂકૈયા સખાવત હુસૈને બિહારના ભાગલપુરમાં આવી પ્રથમ શાળા ખોલી હતી, જે માત્ર દિકરીઓના શિક્ષણ માટે હતી.

તેમણે ઘણી નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ પણ લખી હતી. તેમનું ‘સુલ્તાનાઝ ડ્રીમ્સ’ ખૂબ જ પ્રખ્યાત પુસ્તક રહ્યું હતું.
મહિલાઓના અધિકારો માટે લડનારા બેગમ રૂકૈયાનો જન્મ 9 ડિસેમ્બર 1880ના રોજ ઉત્તર બંગાળના રંગપુર જિલ્લાના પૈરાબંદ વિસ્તારમાં થયો હતો. તેમના પિતા ઝહીરુદ્દીન મોહમ્મદ અબુ અલી હુસેન સાબેર વિસ્તારના જમીનદાર હતા. તેમની માતાનું નામ રહેતુન્નિસા સાબેરા ચૌધરાણી હતું. આ વિસ્તાર હવે બાંગ્લાદેશમાં ગયો છે.
જ્યારે રૂકૈયાનો જન્મ થયો, ત્યારે બંગાળના મુસ્લિમ પુરુષોમાં શાળાકીય શિક્ષણ શરૂ થઈ ગયું હતું. પરંતુ ઘરના વર્તુળમાં રહેલી મહિલાઓ સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચ્યો ન હતો. બંગાળના સમૃદ્ધ મુસ્લિમ ઘરોમાં મહિલાઓને માત્ર ધાર્મિક શિક્ષણ જ આપવામાં આવતું હતું.
રુકૈયાના બે ભાઈ કોલકાતામાં ભણતા હતા. મોટી બહેનને પણ ભણવાનો શોખ હતો. મોટા ભાઈએ ઘરના વડીલો પાસેથી ગુપ્ત રીતે રૂકૈયાને અંગ્રેજી, બંગાળી અને ઉર્દૂ શીખવ્યું.
રુકૈયા લખે છે, 'મેં ક્યારેય કોઈ શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવ્યો નહીં. મારા મોટા ભાઈના પ્રેમ અને દયાને કારણે જ હું લખતા-વાંચતા શીખી શકી.
1896 માં, 16 વર્ષની ઉંમરે, બેગમ રુકૈયાના લગ્ન ભાગલપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ખાન બહાદુર સખાવત હુસૈન સાથે થયા, ત્યારે સખાવત 38 વર્ષના હતા અને તે આના પહેલા લગ્ન કરી ચૂક્યા હતા, પરંતુ તેમની પ્રથમ પત્નીના મૃત્યુ પછી, તેમણે રુકૈયા સાથે લગ્ન કર્યા.તેઓનો સંગાથ લગભગ 14 વર્ષનો છે.
સખાવત હુસૈન બિહારના ભાગલપુરના રહેવાસી હતા. સખાવત હુસૈનને છોકરીઓના શિક્ષણમાં ખૂબ જ રસ હતો અને તેના કારણે તે રુકૈયાને પૂરો સહયોગ આપતા રહેતા હતા. તેમના મૃત્યુ સુધી, તેમનો મોટાભાગનો સમય ભાગલપુરમાં વિત્યો હતો. આ તે સમયગાળો છે જ્યારે રુકૈયા લખવાનું શરૂ કરે છે અને ઘણુંબધું લખે છે.
તેમના કેટલાક મહત્વપૂર્ણ કાર્યો સુલતાના શોપનો (સુલતાનાનું સ્વપ્ન), ઓબોરોદબાધિની (વિદેશમાં મહિલાઓ) મોટીચુર,પદોરાગ(પદ્મની ગંધ) (અસંપૂર્ણ), નારીર અધિકાર (મહિલા અધિકાર), ઇસ્લામિક મહિલા સંગઠન હેતુ નિબંધ.
કન્યાઓ માટે શાળા ખોલવામાં આવી :
1909 માં જ્યારે સખાવતનું અવસાન થયું, ત્યારે તેણે રુકૈયા માટે ઘણાં પૈસા છોડીને ગયા હતા,જેનો ઉપયોગ રુકૈયાએ છોકરીઓના શિક્ષણ માટે કર્યો હતો.
તેણીએ તેના પતિના મૃત્યુના માત્ર 5 મહિના પછી સખાવત મેમોરિયલ ગર્લ્સ હાઇસ્કૂલની સ્થાપના કરી, તે સમયે આ શાળા ભાગલપુરમાં ખોલવામાં આવી હતી અને તે સમયે તેમાં ફક્ત 5 વિદ્યાર્થીઓનીઓ હતી. તેમના પતિના પરિવાર સાથે કેટલીક મિલકતના વિવાદને કારણે, તેમણે આ શાળાને 1911 માં કલકત્તામાં શિફ્ટ કરવી પડી હતી. આ શાળા ખૂબ પ્રખ્યાત શાળા માનવામાં આવે છે અને આજે તે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.
ઉત્કૃષ્ટ વ્યક્તિ, યુવતીઓ/મહિલાઓની પ્રેરણા,શિસ્તની દુનિયામાં એક અલગ ઓળખ બનાવનાર, મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવનાર, મુસ્લિમ યુવતીઓના શિક્ષણ માટે પોતાનું તન,મન,ધન લગાવનાર, મહિલાઓને એક કરીને સંગઠનો બનાવનાર, સુધારણા માટે જીવન આપનાર રુકૈયા સખાવત હુસૈન 9 ડિસેમ્બર 1932 ના રોજ 52 વર્ષની વયે હૃદય રોગને કારણે મૃત્યુ પામ્યા. પરંતુ તેમના અંતિમ શ્વાસ સુધી તેમનું જીવન માત્ર મહિલાઓના શિક્ષણ માટે સમર્પિત હતું.
બાંગ્લાદેશે રુકૈયાને ઘણું સન્માન આપ્યું છે. ત્યાં દર વર્ષે 9મી ડિસેમ્બરના દિવસને રૂકૈયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સાભાર : હેરીટેજ ટાઈમ્સ

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...