Skip to main content

બેગમ રૂકૈયા સખાવત હુસૈને



બેગમ રૂકૈયા સખાવત હુસૈને દિકરીઓ માટે પ્રથમ શાળા બિહારમાં ખોલી હતી.બેગમ રૂકૈયા સખાવત હુસૈને બિહારના ભાગલપુરમાં આવી પ્રથમ શાળા ખોલી હતી, જે માત્ર દિકરીઓના શિક્ષણ માટે હતી.

તેમણે ઘણી નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ પણ લખી હતી. તેમનું ‘સુલ્તાનાઝ ડ્રીમ્સ’ ખૂબ જ પ્રખ્યાત પુસ્તક રહ્યું હતું.
મહિલાઓના અધિકારો માટે લડનારા બેગમ રૂકૈયાનો જન્મ 9 ડિસેમ્બર 1880ના રોજ ઉત્તર બંગાળના રંગપુર જિલ્લાના પૈરાબંદ વિસ્તારમાં થયો હતો. તેમના પિતા ઝહીરુદ્દીન મોહમ્મદ અબુ અલી હુસેન સાબેર વિસ્તારના જમીનદાર હતા. તેમની માતાનું નામ રહેતુન્નિસા સાબેરા ચૌધરાણી હતું. આ વિસ્તાર હવે બાંગ્લાદેશમાં ગયો છે.
જ્યારે રૂકૈયાનો જન્મ થયો, ત્યારે બંગાળના મુસ્લિમ પુરુષોમાં શાળાકીય શિક્ષણ શરૂ થઈ ગયું હતું. પરંતુ ઘરના વર્તુળમાં રહેલી મહિલાઓ સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચ્યો ન હતો. બંગાળના સમૃદ્ધ મુસ્લિમ ઘરોમાં મહિલાઓને માત્ર ધાર્મિક શિક્ષણ જ આપવામાં આવતું હતું.
રુકૈયાના બે ભાઈ કોલકાતામાં ભણતા હતા. મોટી બહેનને પણ ભણવાનો શોખ હતો. મોટા ભાઈએ ઘરના વડીલો પાસેથી ગુપ્ત રીતે રૂકૈયાને અંગ્રેજી, બંગાળી અને ઉર્દૂ શીખવ્યું.
રુકૈયા લખે છે, 'મેં ક્યારેય કોઈ શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવ્યો નહીં. મારા મોટા ભાઈના પ્રેમ અને દયાને કારણે જ હું લખતા-વાંચતા શીખી શકી.
1896 માં, 16 વર્ષની ઉંમરે, બેગમ રુકૈયાના લગ્ન ભાગલપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ખાન બહાદુર સખાવત હુસૈન સાથે થયા, ત્યારે સખાવત 38 વર્ષના હતા અને તે આના પહેલા લગ્ન કરી ચૂક્યા હતા, પરંતુ તેમની પ્રથમ પત્નીના મૃત્યુ પછી, તેમણે રુકૈયા સાથે લગ્ન કર્યા.તેઓનો સંગાથ લગભગ 14 વર્ષનો છે.
સખાવત હુસૈન બિહારના ભાગલપુરના રહેવાસી હતા. સખાવત હુસૈનને છોકરીઓના શિક્ષણમાં ખૂબ જ રસ હતો અને તેના કારણે તે રુકૈયાને પૂરો સહયોગ આપતા રહેતા હતા. તેમના મૃત્યુ સુધી, તેમનો મોટાભાગનો સમય ભાગલપુરમાં વિત્યો હતો. આ તે સમયગાળો છે જ્યારે રુકૈયા લખવાનું શરૂ કરે છે અને ઘણુંબધું લખે છે.
તેમના કેટલાક મહત્વપૂર્ણ કાર્યો સુલતાના શોપનો (સુલતાનાનું સ્વપ્ન), ઓબોરોદબાધિની (વિદેશમાં મહિલાઓ) મોટીચુર,પદોરાગ(પદ્મની ગંધ) (અસંપૂર્ણ), નારીર અધિકાર (મહિલા અધિકાર), ઇસ્લામિક મહિલા સંગઠન હેતુ નિબંધ.
કન્યાઓ માટે શાળા ખોલવામાં આવી :
1909 માં જ્યારે સખાવતનું અવસાન થયું, ત્યારે તેણે રુકૈયા માટે ઘણાં પૈસા છોડીને ગયા હતા,જેનો ઉપયોગ રુકૈયાએ છોકરીઓના શિક્ષણ માટે કર્યો હતો.
તેણીએ તેના પતિના મૃત્યુના માત્ર 5 મહિના પછી સખાવત મેમોરિયલ ગર્લ્સ હાઇસ્કૂલની સ્થાપના કરી, તે સમયે આ શાળા ભાગલપુરમાં ખોલવામાં આવી હતી અને તે સમયે તેમાં ફક્ત 5 વિદ્યાર્થીઓનીઓ હતી. તેમના પતિના પરિવાર સાથે કેટલીક મિલકતના વિવાદને કારણે, તેમણે આ શાળાને 1911 માં કલકત્તામાં શિફ્ટ કરવી પડી હતી. આ શાળા ખૂબ પ્રખ્યાત શાળા માનવામાં આવે છે અને આજે તે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.
ઉત્કૃષ્ટ વ્યક્તિ, યુવતીઓ/મહિલાઓની પ્રેરણા,શિસ્તની દુનિયામાં એક અલગ ઓળખ બનાવનાર, મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવનાર, મુસ્લિમ યુવતીઓના શિક્ષણ માટે પોતાનું તન,મન,ધન લગાવનાર, મહિલાઓને એક કરીને સંગઠનો બનાવનાર, સુધારણા માટે જીવન આપનાર રુકૈયા સખાવત હુસૈન 9 ડિસેમ્બર 1932 ના રોજ 52 વર્ષની વયે હૃદય રોગને કારણે મૃત્યુ પામ્યા. પરંતુ તેમના અંતિમ શ્વાસ સુધી તેમનું જીવન માત્ર મહિલાઓના શિક્ષણ માટે સમર્પિત હતું.
બાંગ્લાદેશે રુકૈયાને ઘણું સન્માન આપ્યું છે. ત્યાં દર વર્ષે 9મી ડિસેમ્બરના દિવસને રૂકૈયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સાભાર : હેરીટેજ ટાઈમ્સ

Comments

Popular posts from this blog

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવી રહ