Skip to main content

ખેડૂત દિવસ :જન્મજયંતિ ચૌધરી ચરણ સિંહ : ૨૩ ડિસેમ્બર


"ખેડૂતની એક આંખ હળ પર અને બીજી દિલ્હી પર હોવી જોઈએ"
"ખેડૂત આ દેશનો ધણી છે,
પણ તે પોતાની તાકાત ભૂલી ગયો છે"
"ભ્રષ્ટાચારની કોઈ સીમા નથી,જે દેશના લોકો ભ્રષ્ટ હશે,ભલે ગમે તે નેતા આવે,ભલે તમે ગમે તેટલો સારા કાર્યક્રમો ચલાવો...તે દેશ પ્રગતિ કરી શકશે નહીં."
સ્વતંત્રતા પૂર્વેના આંદોલનોમાં ભાગ લેનારા, સ્વતંત્રતા પછી ભારતીય લોકદળના નેતા, બે વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી,કેન્દ્રીય મંત્રી-ગૃહમંત્રી રહી ચૂકેલા અને ૧૯૭૯માં મોરારજી દેસાઈની સરકાર પડી ગયા પછી કોગ્રેસના સમર્થનથી થોડાક જ સમયગાળા માટે વડા પ્રધાન બનેલા કે જેમને એકપણ સંસદ સત્રમાં હાજર રહેવાની તક ન હોતી મળી એવા ચૌધરી ચરણ સિંહ એક મહાન નેતા, રાજકારણી અને સામાજિક કાર્યકર હતા.ભલે તેઓ થોડા સમય માટે જ પ્રધાનમંત્રી પદ પર રહ્યા, પરંતુ તેમણે વૈચારિક તથા ચારિત્ર્યિક સ્તર પર દ્રઢતા બતાવી.તેમની મુખ્ય ઉપલબ્ધિઓમાં લેખપાલનું સર્જન, અનાજ યોજના લાગું,ટોચ મર્યાદા અધિનિયમ ૧૯૬૦ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા વગેરે.
મહાત્મા ગાંધી, સ્વામી દયાનંદ સરસ્વતી તથા સરદાર વલ્લભભાઈ પટેલના દર્શનથી પ્રભાવિત સાદું જીવન જીવતા હતા અને આખું જીવન ગ્રામીણ તેમજ કૃષિ ક્ષેત્રો માટે સમર્પિત રહ્યા. તેથી જ આજે તેઓ સૌથી મોટા ખેડૂત નેતા તરીકે પણ ઓળખાય છે.જાતિ આધારિત વ્યવસ્થાના હંમેશા વિરોધી રહ્યા અને આંતરજાતીય વિવાહની પદ્ધતિ અપનાવવાના હિમાયતી રહ્યા. તેઓ છાત્ર રાજનીતિના પણ વિરોધી રહ્યા, જ્યારે તેઓ ૧૯૭૦માં બીજી વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા ત્યારે છાત્રસંઘ ચુંટણીઓ પર રોક લગાવી દીધી હતી.
ચરણસિંહ સારા એવા લેખક પણ હતા. તેમણે ઘણા પુસ્તકો અને પેમ્ફલેટ્સ લખ્યા.
જય જવાન.. જય કિસાન..

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...