Skip to main content

પ્રેસ

છબી : ધરપકડ પહેલા દાંડી ખાતે અખબાર વાંચતા બાપુ.

પ્રેસને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. તે પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે અને સત્તાને જવાબદાર રાખે છે. આજે, રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર, એવા પત્રકારોનું સન્માન કરીએ છીએ કે જેમણે ગમે તેવા સમયમાં પણ સત્યને આપણા સુધી પહોંચાડવામાં પોતાનું બધું જ દાવ પર લગાવી દેતા હોય છે.

વર્તમાનમાં પત્રકાર,અખબાર અને તેની આઝાદી પર જાણે કે ગ્રહણ લાગી ગયું હોય એવું લાગી રહ્યું છે.'ગોદી મીડિયા' પત્રકારિતાનું મોઢું ચીડાવતું જઈ રહ્યું છે.જે સમાચાર જોઈએ છીએ,બનાવે છે અને આપણને બતાવે છે,તેમને જ તેમના સમાચારો પર ભરોસો ન હોય તો શું થાય ? સમાચારોની હત્યા કરવાવાળી પત્રકારિતાનો જન્મ થાય છે.આપણે એ જ ઘનઘોરતામાં ઘેરાતા જઈ રહ્યા છીએ,પરંતુ આ ઘનઘોરતાને ભેદવાવાળા નિષ્પક્ષ - ઈમાનદાર લોકો પણ છે જ,એનો સંતોષ ..!!!
પત્રકાર માટે સૌથી મોટી વસ્તુ છે 'કલમ'. જે ન અટકવી જોઈએ, ન ઝુકવી જોઈએ, ન અટકવી કે ભટકવી જોઈએ.
પત્રકાર સ્વ.માખણલાલ ચતુર્વેદી(1889-1968)નો એક સંવાદ...
- કલેક્ટર: તમારા અખબારમાં ખૂબ જ વાંધાજનક મહત્વપૂર્ણ વાતો છપાય છે.
- માખણલાલ: અમે ફક્ત વાંધાજનક વાતો છાપવા માટે જ એક અખબાર કાઢયું છે.
- કલેક્ટર: તમે સરકારની ટીકા કરો છો.
- માખણલાલ: અમે સરકારની ટીકા કરવા માટે જ અખબાર બહાર પાડ્યું છે.
- કલેક્ટર: હું તમારું અખબાર બંધ કરાવી શકું છું.
- માખણલાલ: અમે ફક્ત તે માનીને જ અખબાર બહાર પાડ્યું છે કે તમે તેને બંધ કરાવી શકો છો.
- કલેકટર: હું તમને જેલમાં નાંખી શકું છું.
- માખણલાલ: તમે અમને જેલમાં નાંખી શકો છો એમ માનીને જ અમે બધું કરીએ છીએ.
કલેકટર હસી પડ્યા.
હસતાં હસતાં બોલ્યાં: અહીં જુઓ, હું અંગ્રેજી નથી, હું આઇરિશ છું, પણ હું આ ઘટીયા ઈંગ્લીશમેનોનો કર્મચારી છું. તેમને બતાવવા માટે મારે થોડી કાર્યવાહી કરવી પડશે. તેથી સાવધ રહેવું.
આ ભૂતકાળની વાત પત્રકાર શ્રી માખણલાલ ચતુર્વેદીને યાદ આવે છે જ્યારે વાસ્તવિક પત્રકારત્વ આટલા ઊંડા ખાડામાં પડી ગયું છે ત્યારે તમારા જેવા નિર્ભય અને બેબાક લોકોને હંમેશાં યાદ કરવામાં આવશે.
"અખબાર વાંચતી વખતે જો તમે સાવધાન ન રહ્યા, તો અખબારો તમને એ લોકોથી નફરત કરવાનું શિખવાડી દેશે જેમને સતાવવામાં આવી રહ્યા છે અને એ લોકોથી પ્રેમ કરવાનું, જે એમને સતાવી રહ્યા છે."
~ માલ્કમ એક્સ
"પત્રકાર અને સાહિત્યકાર એક જ માતાના બે પુત્રો છે, જેમનું એક જ કામ છે; સત્તાનો શાશ્વત વિરોધ."
- પાબ્લો નેરુદા

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...

ઓળખ ચોરી (IDENTITY THEFT), ફ્રોડ અને સાયબરક્રાઇમ

  સ્પામ અને ફિશિંગ ( Spam and Phishing ) લોકોને આકર્ષિત કરવાના હેતુથી તમને કોઈ લિંક પર ક્લિક કરવા અથવા કોઈ કડી ખોલવા માટેના પ્રયત્નોમાં સાયબર ક્રિમિનલ્સ ખુબ જ    સમજદાર હોય છે. દૂષિત( Malicious ) ઇમેઇલ: દૂષિત ઇમેઇલ વિશ્વનીય નાણાકીય સંસ્થા ,  ઇ-કોમર્સ સાઇટ ,  સરકારી એજન્સી અથવા કોઈપણ અન્ય સેવા અથવા વ્યવસાય દ્વારા આવ્યો હોય એવું આબેહુબ લાગે છે. આવા ઈમેઈલ હંમેશાં તમને ઝડપથી કાર્યવાહી કરવા વિનંતી કરે છે ,  કારણ કે તમારા એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે ,  તમારો ઓર્ડર પૂરો થઈ શકતો નથી અથવા ધ્યાન આપવાની બીજી તાકીદ કરવામાં આવે છે.   જો તમને ખાતરી હોતી નથી કે ઇમેઇલ વિનંતી કાયદેસર છે કે નહીં ,  તો તેને આ પ્રમાણેના પગલાથી ચકાસવાનો પ્રયાસ કરો:   કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર અથવા ક્રેડિટ કાર્ડ પાછળ ,  એકાઉન્ટ સ્ટેટમેન્ટ પર આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરીને - સીધો કંપનીનો સંપર્ક કરો કે આમાં સત્યતા શું છે ?   સર્ચ એન્જીન યા અન્ય રીતે   ઓનલાઇન આવી કંપની માટે શોધ કરો - પરંતુ ઇમેઇલમાં જે માહિતી આપેલી છે એ રીતે ક્યારેય શોધશો નહ...