Skip to main content

પ્રેસ

છબી : ધરપકડ પહેલા દાંડી ખાતે અખબાર વાંચતા બાપુ.

પ્રેસને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. તે પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે અને સત્તાને જવાબદાર રાખે છે. આજે, રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર, એવા પત્રકારોનું સન્માન કરીએ છીએ કે જેમણે ગમે તેવા સમયમાં પણ સત્યને આપણા સુધી પહોંચાડવામાં પોતાનું બધું જ દાવ પર લગાવી દેતા હોય છે.

વર્તમાનમાં પત્રકાર,અખબાર અને તેની આઝાદી પર જાણે કે ગ્રહણ લાગી ગયું હોય એવું લાગી રહ્યું છે.'ગોદી મીડિયા' પત્રકારિતાનું મોઢું ચીડાવતું જઈ રહ્યું છે.જે સમાચાર જોઈએ છીએ,બનાવે છે અને આપણને બતાવે છે,તેમને જ તેમના સમાચારો પર ભરોસો ન હોય તો શું થાય ? સમાચારોની હત્યા કરવાવાળી પત્રકારિતાનો જન્મ થાય છે.આપણે એ જ ઘનઘોરતામાં ઘેરાતા જઈ રહ્યા છીએ,પરંતુ આ ઘનઘોરતાને ભેદવાવાળા નિષ્પક્ષ - ઈમાનદાર લોકો પણ છે જ,એનો સંતોષ ..!!!
પત્રકાર માટે સૌથી મોટી વસ્તુ છે 'કલમ'. જે ન અટકવી જોઈએ, ન ઝુકવી જોઈએ, ન અટકવી કે ભટકવી જોઈએ.
પત્રકાર સ્વ.માખણલાલ ચતુર્વેદી(1889-1968)નો એક સંવાદ...
- કલેક્ટર: તમારા અખબારમાં ખૂબ જ વાંધાજનક મહત્વપૂર્ણ વાતો છપાય છે.
- માખણલાલ: અમે ફક્ત વાંધાજનક વાતો છાપવા માટે જ એક અખબાર કાઢયું છે.
- કલેક્ટર: તમે સરકારની ટીકા કરો છો.
- માખણલાલ: અમે સરકારની ટીકા કરવા માટે જ અખબાર બહાર પાડ્યું છે.
- કલેક્ટર: હું તમારું અખબાર બંધ કરાવી શકું છું.
- માખણલાલ: અમે ફક્ત તે માનીને જ અખબાર બહાર પાડ્યું છે કે તમે તેને બંધ કરાવી શકો છો.
- કલેકટર: હું તમને જેલમાં નાંખી શકું છું.
- માખણલાલ: તમે અમને જેલમાં નાંખી શકો છો એમ માનીને જ અમે બધું કરીએ છીએ.
કલેકટર હસી પડ્યા.
હસતાં હસતાં બોલ્યાં: અહીં જુઓ, હું અંગ્રેજી નથી, હું આઇરિશ છું, પણ હું આ ઘટીયા ઈંગ્લીશમેનોનો કર્મચારી છું. તેમને બતાવવા માટે મારે થોડી કાર્યવાહી કરવી પડશે. તેથી સાવધ રહેવું.
આ ભૂતકાળની વાત પત્રકાર શ્રી માખણલાલ ચતુર્વેદીને યાદ આવે છે જ્યારે વાસ્તવિક પત્રકારત્વ આટલા ઊંડા ખાડામાં પડી ગયું છે ત્યારે તમારા જેવા નિર્ભય અને બેબાક લોકોને હંમેશાં યાદ કરવામાં આવશે.
"અખબાર વાંચતી વખતે જો તમે સાવધાન ન રહ્યા, તો અખબારો તમને એ લોકોથી નફરત કરવાનું શિખવાડી દેશે જેમને સતાવવામાં આવી રહ્યા છે અને એ લોકોથી પ્રેમ કરવાનું, જે એમને સતાવી રહ્યા છે."
~ માલ્કમ એક્સ
"પત્રકાર અને સાહિત્યકાર એક જ માતાના બે પુત્રો છે, જેમનું એક જ કામ છે; સત્તાનો શાશ્વત વિરોધ."
- પાબ્લો નેરુદા

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...