Skip to main content

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને તેમના મુસ્લિમ સાથીઓની શૌર્યગાથા


ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે તો મોટા ભાગના લોકો જાણે જ છે, જેમણે પોતાની હિંમત અને બહાદુરીથી અંગ્રેજોની હિંમતને પરાસ્ત કરી હતી, પરંતુ તેમના વિશ્વાસુઓમાં કોણ કોણ હતા તે આપણે ન તો જાણીએ છીએ અને ન જાણવાનો પ્રયાસ કરીએ છીએ.
ગૌસ મુહમ્મદ ખાન :- રાણી લક્ષ્મીબાઈના મુખ્ય તોપચાલક (તોપ ચલાવનાર), જેમની બહાદુરીથી ખુશ થઈને રાણીએ તેમને સોનાના કડા ભેટમાં આપ્યા હતા.5000 સૈનિકો સાથેનો એક સેનાપતિ અંગ્રેજોના હાથે વેચાઈ ગયો હતો, પછી રાણીએ મુહમ્મદ ગૌસ ખાનને પૂછ્યું કે હવે અંગ્રેજો સાથે જંગ કેવી રીતે લઈશું ? ત્યારે તેમણે કહ્યું, જેમ બહાદુર અને સુરમા લડે છે.. પછી વિશ્વએ જોયું કે શું જંગ થઈ.
ખુદા બખ્શ બશારત અલી :- રાણી લક્ષ્મીબાઈની સેનામાં ઘણી ટુકડીઓ હતી અને સૌથી મોટી ટુકડીના કમાન્ડર ખુદા બખ્શ બશારત અલી હતા અને તેમની સાથે 1500 પઠાણોનું એક જૂથ ઊભું હતું જે અંત સુધી મેદાનમાં દટ્યા રહ્યા...
સરદાર ગુલ મુહમ્મદ ખાન:- રાણી લક્ષ્મીબાઈના મુખ્ય અંગરક્ષક હતા, તેમણે અંતિમ શ્વાસ સુધી રાણીનું રક્ષણ કર્યું.. પોતે જીવતા રહ્યા ત્યાં સુધી રાણીને બચાવવાનો ઘણા પ્રયાસો કર્યો.. જ્યારે રાણી ઘાયલ થયા, ત્યારે તે તેને લક્ષ્મીબાઈને સરદાર રામચંદ્રની મદદથી બાબા ગંગા દાસની ઝૂંપડીમાં પહોચાડ્યા હતા, જ્યાં તેણીએ અંતિમ શ્વાસ લીધા હતા.
નવાબ અલી બહાદુર ખાન :- બાંદા રાજ્યના નવાબ અલી બહાદુર (દ્વિતીય) સાથે રાણી લક્ષ્મીબાઈનો સંબંધ ભાઈ-બહેનનો હતો. તે લક્ષ્મીબાઈએ ભાઈ બનાવ્યા હતા. તેમનો આ ભાઈ અંગ્રેજો સાથેની છેલ્લી લડાઈમાં તેણીની સાથે જ હતો અને એટલું જ નહીં, રાણીના અંતિમ સંસ્કાર પણ આ ભાઈએ જ કર્યા હતા!
સિંધિયા, ગ્વાલિયરના મહારાજા, અંગ્રેજો સાથેના યુદ્ધ દરમિયાન ઝાંસીની રાણીની વિરુદ્ધ હતા, જ્યારે તાત્યા ટોપે અને બાંદાના નવાબ તેમની સાથે હતા. રાણી લક્ષ્મીબાઈ અને નવાબ અલી બહાદુર વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ હતો, તે તેમને રાખડી બાંધતી હતી.
આ લડાઈ પછી અંગ્રેજોએ તેમને કેદ કર્યા અને મહૂ મોકલી દીધા. બાદમાં તેમને ઈન્દોરમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. આ પછી, બનારસના મહારાજાના દબાણ હેઠળ, અંગ્રેજોએ તેમને બનારસ મોકલી દીધા, જ્યાં તેમનું અવસાન થયું.
લક્ષ્મીબાઈ અને નવાબ બહાદુર વચ્ચે ભાઈ-બહેનના સંબંધોની પરંપરા આજે પણ ઝાંસીના ઘણા હિંદુ-મુસ્લિમ પરિવારો અનુસરે છે! ત્યાં આજે પણ ઘણી હિન્દુ બહેનો મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધે છે.
સૌજન્ય : મુહમ્મદ ઉમર અશરફ ( હેરીટેજ ટાઈમ્સ)

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...