Skip to main content

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને તેમના મુસ્લિમ સાથીઓની શૌર્યગાથા


ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે તો મોટા ભાગના લોકો જાણે જ છે, જેમણે પોતાની હિંમત અને બહાદુરીથી અંગ્રેજોની હિંમતને પરાસ્ત કરી હતી, પરંતુ તેમના વિશ્વાસુઓમાં કોણ કોણ હતા તે આપણે ન તો જાણીએ છીએ અને ન જાણવાનો પ્રયાસ કરીએ છીએ.
ગૌસ મુહમ્મદ ખાન :- રાણી લક્ષ્મીબાઈના મુખ્ય તોપચાલક (તોપ ચલાવનાર), જેમની બહાદુરીથી ખુશ થઈને રાણીએ તેમને સોનાના કડા ભેટમાં આપ્યા હતા.5000 સૈનિકો સાથેનો એક સેનાપતિ અંગ્રેજોના હાથે વેચાઈ ગયો હતો, પછી રાણીએ મુહમ્મદ ગૌસ ખાનને પૂછ્યું કે હવે અંગ્રેજો સાથે જંગ કેવી રીતે લઈશું ? ત્યારે તેમણે કહ્યું, જેમ બહાદુર અને સુરમા લડે છે.. પછી વિશ્વએ જોયું કે શું જંગ થઈ.
ખુદા બખ્શ બશારત અલી :- રાણી લક્ષ્મીબાઈની સેનામાં ઘણી ટુકડીઓ હતી અને સૌથી મોટી ટુકડીના કમાન્ડર ખુદા બખ્શ બશારત અલી હતા અને તેમની સાથે 1500 પઠાણોનું એક જૂથ ઊભું હતું જે અંત સુધી મેદાનમાં દટ્યા રહ્યા...
સરદાર ગુલ મુહમ્મદ ખાન:- રાણી લક્ષ્મીબાઈના મુખ્ય અંગરક્ષક હતા, તેમણે અંતિમ શ્વાસ સુધી રાણીનું રક્ષણ કર્યું.. પોતે જીવતા રહ્યા ત્યાં સુધી રાણીને બચાવવાનો ઘણા પ્રયાસો કર્યો.. જ્યારે રાણી ઘાયલ થયા, ત્યારે તે તેને લક્ષ્મીબાઈને સરદાર રામચંદ્રની મદદથી બાબા ગંગા દાસની ઝૂંપડીમાં પહોચાડ્યા હતા, જ્યાં તેણીએ અંતિમ શ્વાસ લીધા હતા.
નવાબ અલી બહાદુર ખાન :- બાંદા રાજ્યના નવાબ અલી બહાદુર (દ્વિતીય) સાથે રાણી લક્ષ્મીબાઈનો સંબંધ ભાઈ-બહેનનો હતો. તે લક્ષ્મીબાઈએ ભાઈ બનાવ્યા હતા. તેમનો આ ભાઈ અંગ્રેજો સાથેની છેલ્લી લડાઈમાં તેણીની સાથે જ હતો અને એટલું જ નહીં, રાણીના અંતિમ સંસ્કાર પણ આ ભાઈએ જ કર્યા હતા!
સિંધિયા, ગ્વાલિયરના મહારાજા, અંગ્રેજો સાથેના યુદ્ધ દરમિયાન ઝાંસીની રાણીની વિરુદ્ધ હતા, જ્યારે તાત્યા ટોપે અને બાંદાના નવાબ તેમની સાથે હતા. રાણી લક્ષ્મીબાઈ અને નવાબ અલી બહાદુર વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ હતો, તે તેમને રાખડી બાંધતી હતી.
આ લડાઈ પછી અંગ્રેજોએ તેમને કેદ કર્યા અને મહૂ મોકલી દીધા. બાદમાં તેમને ઈન્દોરમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. આ પછી, બનારસના મહારાજાના દબાણ હેઠળ, અંગ્રેજોએ તેમને બનારસ મોકલી દીધા, જ્યાં તેમનું અવસાન થયું.
લક્ષ્મીબાઈ અને નવાબ બહાદુર વચ્ચે ભાઈ-બહેનના સંબંધોની પરંપરા આજે પણ ઝાંસીના ઘણા હિંદુ-મુસ્લિમ પરિવારો અનુસરે છે! ત્યાં આજે પણ ઘણી હિન્દુ બહેનો મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધે છે.
સૌજન્ય : મુહમ્મદ ઉમર અશરફ ( હેરીટેજ ટાઈમ્સ)

Comments

Popular posts from this blog

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવી રહ