Skip to main content

જળ એ જ જીવન

ભારત ખેતીપ્રધાન દેશ છે એ તો આપણે સહું સારી રીતે જાણીએ જ છીએ પરંતુ આ ખેતી અને પશુપાલન થકી જે સમૃદ્ધી છે એના પાછળનું મુખ્ય કારણ માત્ર અને માત્ર પાણી છે.પશુઓ જે ઘાસચારો ખાય છે અને દૂધ આપે છે અને દર પંદર દિવસે એનો પગાર કેવો સારો લાગે છે ? એ જ રીતે ખેતીની ઉપજના પૈસા આવે એટલે કેવા સરસ લાગે છે !? પણ ક્યારેય એમ વિચારીએ છીએ કે આના પાછળ રહેલ કારણ “પાણી’ ની કેટલી ચિંતા કરીએ છીએ ? કચ્છ અને રાજસ્થાનની પરિસ્થતિ જોઈએ તો પાણીની વિકટ સમસ્યાને કારણે માઈગ્રેટ થવું પડે છે.પોતાની ટકાઉ ખેતી કે જેના પર આપણો વ્યવસાય કે આજીવિકાના સ્ત્રોત નિર્ભર છે એવા 'પાણી' વિશે હવે તો ખુબ જ ગંભીરતાથી વિચારવું પડશે.સરકાર કહી રહી છે એટલે જળ સંચય કરવું જરૂરી છે એ રીતે નહીં પરંતુ આપણો વ્યવસાય,જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ બધું એના પર નિર્ભર છે.સારા જીવન નિર્વાહ માટે જળ સંચય ખુબ જ જરૂરી છે.

છેલ્લા ૨૫-૩૦ વર્ષના અનુભવો જોઈએ તો પાણીના તળ વર્તમાનમાં ખુબ જ ઊંડા જતા રહ્યા છે.પેહલાના સમયમાં તો કુવાઓમાંથી પાણી લેતા.અત્યારે એ કુવાઓ તો ખાલીખમ છે.હવે તો બોર પણ પેહલા ૪૦૦-૫૦૦ ફૂટે હતા એ પણ ૮૦૦-૧૦૦૦ એ પહોચવા આવ્યા.દર વર્ષે પાણીના લેવલ નીચે જઈ રહ્યા છે.દરેક ગામમાં કમસે કમ ૫૦-૧૦૦-૨૦૦-૫૦૦ વસ્તી પ્રમાણે બોર હોય છે.સરેરાશ આઠ કલાક વીજળી આવતી હોય છે.એક બોર એક કલાકમાં એક લાખ લીટર જેવું પાણી કાઢતું હોય છે.તો એક બોર દિવસનું આઠ લાખ લીટર પાણી કાઢે. દા.ત. એક ગામમાં ૧૦૦ બોર હોય તો દિવસનું આઠ કરોડ લીટર પાણી નીકળે.વર્ષનું ૨,૯૨,૦૦૦૦૦૦૦૦ લીટર થાય.આટલું અબજો લીટર પાણી કાઢીએ છીએ તો એટલું ઉમેરીએ છીએ ખરા !?.

આજથી ૩૫-૪૦ વર્ષ પેહલાં કુવાનું કે ઉપરના તળનું પાણી પીવાતું જેના કારણે પાણીજન્ય રોગો પણ નહીવત થતા,આજે ૫૦ વર્ષની ઉંમર થાય તો હાડકાના દુખાવા,ઘુંટણના દુખાવા,પથરીના કેસો વધુ જોવા મળે છે.ક્યાંક નવજાત બાળકો ખોડ-ખાંપણ વાળા જન્મે છે.આનું કારણ સમજવા જેવું છે,વધુ પાક લેવા માટે યુરીયા રસાયણિક ખાતરનો બેફામ ઉપયોગ.આવી કંપનીઓએ પણ માજા મૂકી છે.વીઘે ચાર-ચાર થેલીઓ નાખતા હોય છે.એ ખાતરના ઝેરી તત્વો જમીનમાં જાય પછી રોગો થવાના જ થવાના !!! પંજાબની કેન્સર ટ્રેન આનું ઉદાહરણ છે.

ખર્ચની દ્રષ્ટીએ જોઈએ તો એક કોલમ પાઈપ ઉતારવાનો ટોટલ ખર્ચો ૧૨૦૦૦ જેવો થાય.સરેરાશ ખર્ચ ખુબ ઉંચો આવતો હોય છે અને રીચાર્જનો ખર્ચ ખુબ જ નીચો આવે છે અને અન્ય આરોગ્યને લગતા ફાયદા તો ખરા જ.આ બાબતે જે પણ ખેડૂતો સંચય માટે તૈય્યાર થતા હોય તો વ્યક્તિગત નહી પરંતુ સામુહિક રીતે તૈય્યાર થઇ માલ સમાન લાવે તો હજી ખર્ચ ઓછો આવવાની શક્યતા છે.તો દરેક ગામ-શહેરમાં જાગૃત નાગરિકો અને નાગરિક સમાજ સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન,વોટરશેડ ડેવલોપમેન્ટ અને જળ સંચય માટે યોગ્ય તૈયારીઓ શરૂ કરી દેવી એ દેશના હિતમાં છે.

નિતી આયોગ ૨૦૧૯ :

- 2020 સુધી ભારતના 21 મોટા શહેરોમાં ભૂગર્ભજળ ખતમ થઈ જશે જેમકે બેંગ્લોર,હૈદરાબાદ,ચેન્નઈ અને અન્ય મોટા શહેરો,મતલબ 18 મહિના જ બાકી છે.

- ૨૦૩૦ સુધી ૪૦% ભારતની વસ્તી માટે પીવાનું પાણી નહીં મળે.

યુ. એન. :

2,027 સુધી યુનાઇટેડ નેશન અનુસાર ભારતની વસ્તી ચીનને પાછળ મૂકી દેશે મતલબ આપણે નંબર વન પર હોઈશું.

- ૨૦૩૦ સુધી ભારતની પાણીની માંગ બે ગણી થઈ જશે.

- વર્લ્ડ બેન્ક અનુસાર પાણીની અછતના કારણે ભારતની જીડીપીને ૨૦૫૦ સુધી ૬% નું નુકસાન થશે.
(સરકારનું સપનું છે કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરી દઈશું પણ શું આવી પરિસ્થિતિમાં એ શક્ય છે !?)

- 2022 સુધી ખેડૂતોની બમણી આવક કરવા માટે 60 અરબ ડોલર કૃષિ પેદાશો નિર્યાત  કરી શકાશે!!?

નીતિ આયોગના 2018 રિપોર્ટ પ્રમાણે :

- ઇતિહાસમાં આટલી બધી પાણીની વિકટ સમસ્યા ભારતે ક્યારેય ભોગવી નથી.
- 60 કરોડ લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત છે.
- દર વર્ષે સ્વચ્છ પાણીના અભાવે બે લાખ લોકોના મૃત્યુ થાય છે.
- ગયા વર્ષમાં મહારાષ્ટ્રમાં ૧૨ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

Comments

Post a Comment

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...

ઓળખ ચોરી (IDENTITY THEFT), ફ્રોડ અને સાયબરક્રાઇમ

  સ્પામ અને ફિશિંગ ( Spam and Phishing ) લોકોને આકર્ષિત કરવાના હેતુથી તમને કોઈ લિંક પર ક્લિક કરવા અથવા કોઈ કડી ખોલવા માટેના પ્રયત્નોમાં સાયબર ક્રિમિનલ્સ ખુબ જ    સમજદાર હોય છે. દૂષિત( Malicious ) ઇમેઇલ: દૂષિત ઇમેઇલ વિશ્વનીય નાણાકીય સંસ્થા ,  ઇ-કોમર્સ સાઇટ ,  સરકારી એજન્સી અથવા કોઈપણ અન્ય સેવા અથવા વ્યવસાય દ્વારા આવ્યો હોય એવું આબેહુબ લાગે છે. આવા ઈમેઈલ હંમેશાં તમને ઝડપથી કાર્યવાહી કરવા વિનંતી કરે છે ,  કારણ કે તમારા એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે ,  તમારો ઓર્ડર પૂરો થઈ શકતો નથી અથવા ધ્યાન આપવાની બીજી તાકીદ કરવામાં આવે છે.   જો તમને ખાતરી હોતી નથી કે ઇમેઇલ વિનંતી કાયદેસર છે કે નહીં ,  તો તેને આ પ્રમાણેના પગલાથી ચકાસવાનો પ્રયાસ કરો:   કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર અથવા ક્રેડિટ કાર્ડ પાછળ ,  એકાઉન્ટ સ્ટેટમેન્ટ પર આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરીને - સીધો કંપનીનો સંપર્ક કરો કે આમાં સત્યતા શું છે ?   સર્ચ એન્જીન યા અન્ય રીતે   ઓનલાઇન આવી કંપની માટે શોધ કરો - પરંતુ ઇમેઇલમાં જે માહિતી આપેલી છે એ રીતે ક્યારેય શોધશો નહ...