Skip to main content

જળ એ જ જીવન

ભારત ખેતીપ્રધાન દેશ છે એ તો આપણે સહું સારી રીતે જાણીએ જ છીએ પરંતુ આ ખેતી અને પશુપાલન થકી જે સમૃદ્ધી છે એના પાછળનું મુખ્ય કારણ માત્ર અને માત્ર પાણી છે.પશુઓ જે ઘાસચારો ખાય છે અને દૂધ આપે છે અને દર પંદર દિવસે એનો પગાર કેવો સારો લાગે છે ? એ જ રીતે ખેતીની ઉપજના પૈસા આવે એટલે કેવા સરસ લાગે છે !? પણ ક્યારેય એમ વિચારીએ છીએ કે આના પાછળ રહેલ કારણ “પાણી’ ની કેટલી ચિંતા કરીએ છીએ ? કચ્છ અને રાજસ્થાનની પરિસ્થતિ જોઈએ તો પાણીની વિકટ સમસ્યાને કારણે માઈગ્રેટ થવું પડે છે.પોતાની ટકાઉ ખેતી કે જેના પર આપણો વ્યવસાય કે આજીવિકાના સ્ત્રોત નિર્ભર છે એવા 'પાણી' વિશે હવે તો ખુબ જ ગંભીરતાથી વિચારવું પડશે.સરકાર કહી રહી છે એટલે જળ સંચય કરવું જરૂરી છે એ રીતે નહીં પરંતુ આપણો વ્યવસાય,જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ બધું એના પર નિર્ભર છે.સારા જીવન નિર્વાહ માટે જળ સંચય ખુબ જ જરૂરી છે.

છેલ્લા ૨૫-૩૦ વર્ષના અનુભવો જોઈએ તો પાણીના તળ વર્તમાનમાં ખુબ જ ઊંડા જતા રહ્યા છે.પેહલાના સમયમાં તો કુવાઓમાંથી પાણી લેતા.અત્યારે એ કુવાઓ તો ખાલીખમ છે.હવે તો બોર પણ પેહલા ૪૦૦-૫૦૦ ફૂટે હતા એ પણ ૮૦૦-૧૦૦૦ એ પહોચવા આવ્યા.દર વર્ષે પાણીના લેવલ નીચે જઈ રહ્યા છે.દરેક ગામમાં કમસે કમ ૫૦-૧૦૦-૨૦૦-૫૦૦ વસ્તી પ્રમાણે બોર હોય છે.સરેરાશ આઠ કલાક વીજળી આવતી હોય છે.એક બોર એક કલાકમાં એક લાખ લીટર જેવું પાણી કાઢતું હોય છે.તો એક બોર દિવસનું આઠ લાખ લીટર પાણી કાઢે. દા.ત. એક ગામમાં ૧૦૦ બોર હોય તો દિવસનું આઠ કરોડ લીટર પાણી નીકળે.વર્ષનું ૨,૯૨,૦૦૦૦૦૦૦૦ લીટર થાય.આટલું અબજો લીટર પાણી કાઢીએ છીએ તો એટલું ઉમેરીએ છીએ ખરા !?.

આજથી ૩૫-૪૦ વર્ષ પેહલાં કુવાનું કે ઉપરના તળનું પાણી પીવાતું જેના કારણે પાણીજન્ય રોગો પણ નહીવત થતા,આજે ૫૦ વર્ષની ઉંમર થાય તો હાડકાના દુખાવા,ઘુંટણના દુખાવા,પથરીના કેસો વધુ જોવા મળે છે.ક્યાંક નવજાત બાળકો ખોડ-ખાંપણ વાળા જન્મે છે.આનું કારણ સમજવા જેવું છે,વધુ પાક લેવા માટે યુરીયા રસાયણિક ખાતરનો બેફામ ઉપયોગ.આવી કંપનીઓએ પણ માજા મૂકી છે.વીઘે ચાર-ચાર થેલીઓ નાખતા હોય છે.એ ખાતરના ઝેરી તત્વો જમીનમાં જાય પછી રોગો થવાના જ થવાના !!! પંજાબની કેન્સર ટ્રેન આનું ઉદાહરણ છે.

ખર્ચની દ્રષ્ટીએ જોઈએ તો એક કોલમ પાઈપ ઉતારવાનો ટોટલ ખર્ચો ૧૨૦૦૦ જેવો થાય.સરેરાશ ખર્ચ ખુબ ઉંચો આવતો હોય છે અને રીચાર્જનો ખર્ચ ખુબ જ નીચો આવે છે અને અન્ય આરોગ્યને લગતા ફાયદા તો ખરા જ.આ બાબતે જે પણ ખેડૂતો સંચય માટે તૈય્યાર થતા હોય તો વ્યક્તિગત નહી પરંતુ સામુહિક રીતે તૈય્યાર થઇ માલ સમાન લાવે તો હજી ખર્ચ ઓછો આવવાની શક્યતા છે.તો દરેક ગામ-શહેરમાં જાગૃત નાગરિકો અને નાગરિક સમાજ સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન,વોટરશેડ ડેવલોપમેન્ટ અને જળ સંચય માટે યોગ્ય તૈયારીઓ શરૂ કરી દેવી એ દેશના હિતમાં છે.

નિતી આયોગ ૨૦૧૯ :

- 2020 સુધી ભારતના 21 મોટા શહેરોમાં ભૂગર્ભજળ ખતમ થઈ જશે જેમકે બેંગ્લોર,હૈદરાબાદ,ચેન્નઈ અને અન્ય મોટા શહેરો,મતલબ 18 મહિના જ બાકી છે.

- ૨૦૩૦ સુધી ૪૦% ભારતની વસ્તી માટે પીવાનું પાણી નહીં મળે.

યુ. એન. :

2,027 સુધી યુનાઇટેડ નેશન અનુસાર ભારતની વસ્તી ચીનને પાછળ મૂકી દેશે મતલબ આપણે નંબર વન પર હોઈશું.

- ૨૦૩૦ સુધી ભારતની પાણીની માંગ બે ગણી થઈ જશે.

- વર્લ્ડ બેન્ક અનુસાર પાણીની અછતના કારણે ભારતની જીડીપીને ૨૦૫૦ સુધી ૬% નું નુકસાન થશે.
(સરકારનું સપનું છે કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરી દઈશું પણ શું આવી પરિસ્થિતિમાં એ શક્ય છે !?)

- 2022 સુધી ખેડૂતોની બમણી આવક કરવા માટે 60 અરબ ડોલર કૃષિ પેદાશો નિર્યાત  કરી શકાશે!!?

નીતિ આયોગના 2018 રિપોર્ટ પ્રમાણે :

- ઇતિહાસમાં આટલી બધી પાણીની વિકટ સમસ્યા ભારતે ક્યારેય ભોગવી નથી.
- 60 કરોડ લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત છે.
- દર વર્ષે સ્વચ્છ પાણીના અભાવે બે લાખ લોકોના મૃત્યુ થાય છે.
- ગયા વર્ષમાં મહારાષ્ટ્રમાં ૧૨ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

Comments

Post a Comment

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 (No. 21 of 2000)

Photo : Google ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ , 2000 ( No. 21 of 2000) આમુખ ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેંજ અને ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશનના અન્ય માધ્યમો દ્વારા કરવામાં આવતા વ્યવહારો માટે કાનૂની માન્યતા પ્રદાન કરવા માટેનો કાયદો , જેને સામાન્ય રીતે " ઇલેક્ટ્રોનિક વાણિજ્ય " તરીકે ઓળખવામાં આવે છે , જેમાં સંદેશાવ્યવહારની પેપર આધારિત પદ્ધતિઓ અને માહિતીના સંગ્રહના વૈકલ્પિક ઉપયોગનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો સરકારી એજન્સીઓ પાસે ફાઇલ કરવા અને ભારતીય દંડ સંહિતા , ઈન્ડિયા એવિડન્સ એક્ટ- 1872, બેંકર્સ બુક એવીડન્સ અધિનિયમ ,-1891 અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ- 1934 અને તેમાં જોડાયેલ બાબતો અથવા તે સાથે સંબંધિત બાબતોમાં સુધારો કરવા ; ઠરાવ A / RES / 51/162 દ્વારા સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં , 30 મી જાન્યુઆરી 1997  આંતરરાષ્ટ્રીય વેપાર કાયદા પર સંયુક્ત રાષ્ટ્રના આયોગ દ્વારા અપનાવવામાં આવેલા ઇલેક્ટ્રોનિક વાણિજ્ય પરના મોડેલ કાયદાને સ્વીકારવામાં આવ્યો છે ; સંદેશાવ્યવહાર અને સંગ્રહણના કાગળ આધારિત પદ્ધતિઓના વિકલ્પોને લાગુ કાયદાની એકરૂપતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને , જ્યારે આ નિયમમાં...