Skip to main content

Posts

સાગર રબારી : ખેડૂત નેતા

49 વર્ષની વય,અમદાવાદના વતની,ઇકોનોમિકસ સાથે ગ્રેજ્યુએટ અનેડીપ્લોમા ઇન જર્નાલીઝમનો અભ્યાસ કરેલ સાગરભાઈ હરજીવનભાઈ રબારી બાળપણથી જ ગાંધી વિચારોથી પ્રભાવિત અભ્યાસકાળ દરમિયાન જ સામાજિક કાર્યો સાથે જોડાયા.ગુજરાત લોકસમિતિ માં કાર્ય કરતા મુખ્યત્વે ગુજરાતમાં વિવિધ ઉદ્યોગો માટે સરકાર દ્વારા થઇ રહેલા જમીન સંપાદનમાં ખેડૂતોને પક્ષે રહી કામ કર્યું.જેમાં મુખ્યત્વે ... વડોદરા ઝાલા : ગામના ગૌચરની ૬૫૦ એકર જમીન L& T કપનીને સરકારે ફાળવી તેના વિરોધમાં ગુજરાત લોકસમિતિનીઆગેવાનીમાં ગામ સાથે રહી સફળ લડત ચલાવી.માપણી માટે પોલીસ સાથે આવેલા તંત્રને અહિંસક રીતે રોકતાં પોલીસે અટકાયત કરી.લોકજાગૃતિ અને પ્રચંડ વિરોધને કારણે એલ.એન્ડ.ટી એ પોતાનો પ્રોજેક્ટ પડતો મુક્યો.ગામનું ગૌચર બચી ગયું. મહુવા: ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકારે જમીન સમઢીયાળા બંધારાની જમીન ફાળવી હતી.અને કુલ ૯ ગામોની ૨૭૦૦૦ એકર જમીનમાં નીરમા સિમેન્ટ કંપનીને લાઈમ સ્ટોન માઈનીંગ માટે સૈદ્ધાંતિક મંજુરી આપી હતી.સ્થાનિક લોકોના વિરોધને કારણે ગુજરાત લોકસમિતિના સક્રિય કાર્યકર તરીકે સાગર રબારી આંદોલનમાં જોડા...

મુસ્તુખાન સુખ ‘ગ્રામશિલ્પી’

પીંગળી(ભાવનગર) ખાતે બલોચ કુટુંબમાં જન્મેલા,લોકભારતીસણોસરાથી ગ્રામવિદ્યા સ્નાતક થયેલ,અભ્યાસ દરમિયાન ગ્રામાભિમુખ કેળવણીથઇ અને મનોમન નક્કી કર્યું કે ગામડામાં જ કામ કરવું. પૂજ્ય મહાત્મા ગાંધીજી સ્થાપિત  ગુજરાત વિદ્યાપીઠથી એમ.એસ.ડબલ્યુ ( માસ્ટર ઇન સોસીઅલ  વર્ક ) કરી  એમની અંદર રહેલા ગ્રામવિકાસ અને સર્વોદયના વિચારને નવીદિશા તરફ લઇ સમાજકાર્યને વધારે સારી રીતે સમજવા અને શીખવા ગુજરાત હરીજનસેવક સંઘમાં જોડાઈને ત્યાંથી સંવેદના , પ્રેમ , કરુણા જેવા માનવીય મુલ્યોનેસમજવાની અનોખી સમજણ કેળવી , ગામડું જે દેશ ની ધરોહર છે અને એમાંય ગણા બધાપ્રશ્નો રહેલા છે એ બધું સમજ્યા પછી મંજીલની શોધમાં ગુજરાત વિદ્યાપીઠના ‘ ગ્રામશિલ્પી’ પ્રોગ્રામ અંતર્ગત ગણા બધા પ્રયત્નો બાદ એમણે રાજ્યમાંથીઅમીરગઢ તાલુકાની પસંદગી કરી,કેમકે અહી શિક્ષણનું પ્રમાણ બહુ જ નીચુંહતું.અહી અમીરગઢ આસપાસના વિસ્તારની મુલાકાત લેતા ખાટીસીતરા પહોચ્યા , ત્યાંનીપરિસ્થિતિ અને લોકોને જોતાં જ એમનો માયલો કહી બેઠો કે ભાઈ તારી મંઝીલ તો અહીજ છે.હૃદય ના સાદે અહીં કામ કરવા મજબુર કરીને પછી શરુ થઇ વિકાસની ગાથા . ગાંધી બાપુના ગ્રામ સ્વરાજન...

પ્રવીણ પટેલ,માનવાધિકાર માટે લડનાર અદના કાર્યકર

૨૮ ઓગસ્ટ ૧૯૪૯ ના દિવસે કોલકત્તામાં જન્મેલ પ્રવીણ પટેલ માનવાઅધિકાર માટે લડનાર અદના કાર્યકર છે,કોલકત્તા યુનીવર્સીટીમાં અભ્યાસી તેજસ્વી વિદ્યાર્થી સાથે નેતૃત્વ કળાની શરૂઆત પણ ત્યાંથી જ થયેલ.   સામાજિક કાર્યોમાં તેમનો પ્રથમ તબક્કો કમારહટ્ટી વિસ્તારમાં શણ કાપડ મિલ કર્મચારીઓ સાથે કામ કરીને શરૂ થયો પછી તરત જ   1968 માં લીઓ ક્લબ ઓફ નોર્થ ઇસ્ટ કોલકતાની સ્થાપના કરી.વારસાગત વન ઠેકેદારીના વ્યવસાયમાં જોડાતાં પહેલાં ૧૯૭૧ સુધી તેના સ્થાપક અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળેલ.તેમણે પશ્ચિમ બંગાળના સુંદરબન વિસ્તારમાં આદિવાસી અધિકારો માટે અખિલ ભારતીય વિકાસ પરિષદ સાથે ૧૯૯૩ થી ૧૯૯૬ સુધી કામ કરેલ. તેમણે વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી ને આદિજાતિ કલ્યાણ સોસાયટીમાં ક્ષેત્ર અધિકારી તરીકે જોડાયા અને થોડાક જ     સમયમાં ઓડિશામાં આદિવાસીઓ સાથે કામ કરવા માટે અને બિહારના બંધારણીય અધિકારો સુરક્ષિતતા નો વધારાનો ચાર્જ આ પવામાં આવ્યો. ૨૦૦૦ ની સાલમાં નવા બનેલ રાજ્યો ઝારખંડ અને છત્તીસગઢના આદિજાતિ કલ્યાણ સોસાયટીના ડિરેક્ટર તરીકે સ્વતંત્ર પદભાર આપવામાં આવ્યું જ્યાં તેઓ ૩૧ માર્ચ ૨૦૧૪ સુધી કાર્યશીલ રહ્યા.પ...

સરદાર પટેલની જન્મજયંતી

આજનો દિવસ એટલે અખંડ ભારતના ઘડ્વૈય્યા , લોખંડી પુરુષ , ખેડૂત પુત્ર , ભારતીય રાષ્ટ્રીય કોન્ગ્રેસના પ્રતિષ્ઠિત નેતા , સ્વતંત્ર ભારતના પેહલા ડેપ્યુટી પ્રાઈમ મીનીસ્ટર , હોમ મીનીસ્ટર એવા સરદાર પટેલ નો જન્મદિવસ જેમનું નામ કાને પડતાં જ એક અજોડ પ્રતિભા પ્રત્યે ગર્વ અને સમ્માનની લાગણી અનુભવાયા વગર રહે નહી . બાપુના કહ્વાથી સરદાર પટેલે પોતાની નોકરી છોડી ખેડા સત્યાગ્રહ પછી અસહકાર આંદોલન સાથે જોડાઈ દારૂબંધી , અસ્પૃશ્યતા , જાતી ભેદભાવ તેમજ સ્ત્રી સશક્તિકરણ માટે ગુજરાત અને દેશમાં ચળવળો કરી . ૧૯૨૩મા મહાત્મા ગાંધી જયારે નાગપુર જેલમાં હતા ત્યારે સત્યાગ્રહની જવાબદારી પોતે લઇ બ્રિટીશ કાયદાઓ પર પ્રતિબંધ અને ઠેર ઠેર ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યા . સ્વતંત્ર ભારતના પ્રથમ હોમ મીનીસ્ટર તરીકે નાના નાના રજવાડાઓને એકીકૃત કરવાનું અતિ મહત્વનું કામ કર્યું . “ આ માટીમાં કઇક અનુંઠું છે , જે ઘણીબધી બાધાઓ હોવા છતાં હંમેશા મહાન આત્માઓનું નિવાસસ્થાન રહી છે “ - સરદાર પટેલ સરદાર પટેલના વિચારો ...