Skip to main content

Posts

Showing posts from December, 2022

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ

અમરોહાની ગૌરવપૂર્ણ દિકરી : બી અમ્મા

બી અમ્મા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રસિદ્ધ સપુતો મૌલાના મુહમ્મદ અલી જૌહર અને મૌલાના શૌકત અલીની માતા હતા. બી અમ્માનું નામ આબાદી બાનો બેગમ (જન્મ 1850) હતું. તેણીનો જન્મ અમરોહાના મોહલ્લા શાહી ચબૂતરા પર નામી કલાલ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ મુઝફ્ફર અલી ખાન હતું. મુઝફ્ફર અલી ખાનના પરદાદા દરવેશ અલી ખાન મુઘલોના છેલ્લા એહાદમાં પંજ હજારી જાટના મનસબદાર હતા, એટલે કે અમરોહામાં, આ પરિવારને આદર અને સંપત્તિનો આશીર્વાદ મળ્યો હતો. અમરોહાના પ્રસિદ્ધ નક્સબંદી વડીલ હઝરત હાફિઝ અબ્બાસ અલી ખાન પણ એ જ પરિવારના ચિરાગ હતા, જેમના નામે "મસ્જિદ હાફિઝ અબ્બાસ અલી ખાન" છે. અમરોહાના બિજનૌર રોડ પર આવેલી તેમની મઝાર રૌઝા હાફિઝ અબ્બાસ અલી તરીકે પ્રખ્યાત છે. બી અમ્માના લગ્ન રામપુરમાં અબ્દુલ અલી સાહબ સાથે થયા હતા, જેઓ રામપુરના રજવાડામાં કર્મચારી હતા. 27 વર્ષની ઉંમરે, બી અમ્મા પત્ની બન્યા. તેમના બીજા લગ્ન માટે પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી અને પોતાના બાળકોના શિક્ષણ માટે પોતાનો સમય વકફ આપી દીધો હતો. બી અમ્માએ પોતાના બાળકોને ભણાવવા માટે પોતાના ઘરેણાં પણ વેચી દીધા હતા.

પ્રેસ

છબી : ધરપકડ પહેલા દાંડી ખાતે અખબાર વાંચતા બાપુ . પ્રેસને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. તે પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે અને સત્તાને જવાબદાર રાખે છે. આજે, રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર, એવા પત્રકારોનું સન્માન કરીએ છીએ કે જેમણે ગમે તેવા સમયમાં પણ સત્યને આપણા સુધી પહોંચાડવામાં પોતાનું બધું જ દાવ પર લગાવી દેતા હોય છે. વર્તમાનમાં પત્રકાર,અખબાર અને તેની આઝાદી પર જાણે કે ગ્રહણ લાગી ગયું હોય એવું લાગી રહ્યું છે.'ગોદી મીડિયા' પત્રકારિતાનું મોઢું ચીડાવતું જઈ રહ્યું છે.જે સમાચાર જોઈએ છીએ,બનાવે છે અને આપણને બતાવે છે,તેમને જ તેમના સમાચારો પર ભરોસો ન હોય તો શું થાય ? સમાચારોની હત્યા કરવાવાળી પત્રકારિતાનો જન્મ થાય છે.આપણે એ જ ઘનઘોરતામાં ઘેરાતા જઈ રહ્યા છીએ,પરંતુ આ ઘનઘોરતાને ભેદવાવાળા નિષ્પક્ષ - ઈમાનદાર લોકો પણ છે જ,એનો સંતોષ ..!!! પત્રકાર માટે સૌથી મોટી વસ્તુ છે 'કલમ'. જે ન અટકવી જોઈએ, ન ઝુકવી જોઈએ, ન અટકવી કે ભટકવી જોઈએ. પત્રકાર સ્વ.માખણલાલ ચતુર્વેદી(1889-1968)નો એક સંવાદ... - કલેક્ટર: તમારા અખબારમાં ખૂબ જ વાંધાજનક મહત્વપૂર્ણ વાતો છપાય છે. - માખણલાલ: અમે ફક્ત વાંધાજનક વાતો છાપવા મ

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને તેમના મુસ્લિમ સાથીઓની શૌર્યગાથા

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે તો મોટા ભાગના લોકો જાણે જ છે, જેમણે પોતાની હિંમત અને બહાદુરીથી અંગ્રેજોની હિંમતને પરાસ્ત કરી હતી, પરંતુ તેમના વિશ્વાસુઓમાં કોણ કોણ હતા તે આપણે ન તો જાણીએ છીએ અને ન જાણવાનો પ્રયાસ કરીએ છીએ. ગૌસ મુહમ્મદ ખાન :- રાણી લક્ષ્મીબાઈના મુખ્ય તોપચાલક (તોપ ચલાવનાર), જેમની બહાદુરીથી ખુશ થઈને રાણીએ તેમને સોનાના કડા ભેટમાં આપ્યા હતા.5000 સૈનિકો સાથેનો એક સેનાપતિ અંગ્રેજોના હાથે વેચાઈ ગયો હતો, પછી રાણીએ મુહમ્મદ ગૌસ ખાનને પૂછ્યું કે હવે અંગ્રેજો સાથે જંગ કેવી રીતે લઈશું ? ત્યારે તેમણે કહ્યું, જેમ બહાદુર અને સુરમા લડે છે.. પછી વિશ્વએ જોયું કે શું જંગ થઈ. ખુદા બખ્શ બશારત અલી :- રાણી લક્ષ્મીબાઈની સેનામાં ઘણી ટુકડીઓ હતી અને સૌથી મોટી ટુકડીના કમાન્ડર ખુદા બખ્શ બશારત અલી હતા અને તેમની સાથે 1500 પઠાણોનું એક જૂથ ઊભું હતું જે અંત સુધી મેદાનમાં દટ્યા રહ્યા... સરદાર ગુલ મુહમ્મદ ખાન:- રાણી લક્ષ્મીબાઈના મુખ્ય અંગરક્ષક હતા, તેમણે અંતિમ શ્વાસ સુધી રાણીનું રક્ષણ કર્યું.. પોતે જીવતા રહ્યા ત્યાં સુધી રાણીને બચાવવાનો ઘણા પ્રયાસો કર્યો.. જ્યારે રાણી ઘાયલ થયા, ત્યારે તે તેને લક્ષ્મીબાઈને સરદાર

ઇંદિરા ગાંધી

ભારતના પહેલા મહિલા પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917 ના રોજ આનંદ ભવન અલ્હાબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ પંડિત જવાહરલાલ નેહરુ તથા માતાનું નામ શ્રીમતી કમલા નેહરુ હતું. તેમનો જન્મ એવા પરિવારમાં થયો હતો જે દેશમાં તીવ્રતાથી ઘટી રહેલી ઘટનાઓથી સીધી રીતે જોડાયેલ હતું.સ્વતંત્રતા આંદોલન સાથે સક્રિય રૂપથી જોડાયેલા હોવાને કારણે તેમના ઘરનું પૂરું વાતાવરણ બદલાયેલું હતું.તેમનું ઘર દેશના સ્વતંત્રતા આંદોલનની પ્રમુખ ગતિવિધિઓનું ઘર રહ્યું હતું. નાની ઇન્દિરા તેમના દાદા જોડેથી જૂની વીરાંગનાઓની કથાઓ સાંભળી ભાવવિભોર થઈ જતી હતી.આનંદ ભવનમાં વિશાળ પુસ્તકાલય હતું.ઈન્દુએ 'ઝોન ઓફ આર્ક' નામની વાર્તા વાંચી તથા તેનાથી પ્રેરણા લીધી કે કેવી એક નાની છોકરીએ શત્રુને પોતાના દેશમાંથી ખદેડી દીધો.રાજકીય ગતિવિધિઓના કારણે તેમના પિતા પંડિત જવાહરલાલ નેહરુ લગભગ જેલોમાં રહેતા. પિતા જેલમાં રહીને પણ પત્રોના માધ્યમથી ઇન્દિરાને એ બધું કહેતા જે તેઓ ઈચ્છતા હતા. બાદમાં તે જ પત્રો પુસ્તક 'ઈંદુને પત્રો' નામથી પ્રકાશિત થયા. આ પત્રોના માધ્યમથી ઇન્દિરાએ ભારતની પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિને જાણી.ઘરનો

જનતંત્ર સમાજ : ચંદ્રકાન્ત દરુ

આજે દેશભરમાં લોકશાહી માટે હતાશાનાં વાદળ ઘેરાયેલા નજરે પડે છે.આઝાદી આવ્યા પછી આપણે લોકશાહી તંત્ર સ્વીકાર્યું ખરું પણ મોટેભાગે આપણે તેને એક રાજકીય પદ્ધતિ તરીકે બિરદાવ્યું.લોકશાહીની મૂળભૂત ફિલસૂફીની અવગણના થઈ.સંસદ,ધારાસભા,પ્રધાનમંડળો વિગેરેની રચના કરી રાજ્યકારભાર ચલાવવો એટલો જ અર્થ આપણે સમજ્યા.પરિણામ એ આવ્યું કે ધારગૃહોમાં પ્રવેશ મેળવી, તયાં બહુમતી પ્રાપ્ત કરી,સત્તા હાથ ધરી તેનો ઉપયોગ પ્રજાના કલ્યાણ માટે કરવો.આ આદર્શ લોકશાહીનું મુખ્ય અંગ બની ગયો.કેન્દ્રિત સત્તા મેળવ્યા સિવાય લોકો કલ્યાણનું કાર્ય થઈ શકે જ નહિ એવો ભ્રમ ધીરે ધીરે ઘેરો બનતો ગયો. અને રાજકીય પક્ષોની રચના વગર રાજતંત્ર ચાલી શકે જ નહિ,લોકશાહી ટકી શકે જ નહિ એવી માન્યતા પ્રચલિત બની. આને પરિણામે લોકશાહીના ખરાં અગત્યનાં પાસાં વિસારે પડ્યાં.લોકશાહીનો ખરો પાયો નૈતિક છે,રાજકીય નથી.એ પાયાની વાત ઉપર ભાર મુકાયો નહિ. લોકશાહીની સાચી સફળતાનો આધાર પ્રજા પોતે તેમાં કેટલો ભાગ લે છે અને કેટલો રસ દાખવે છે તેના ઉપર એ પણ ભુલાઈ ગયું.વળી દરેક વ્યક્તિનો મોભો તેનું સ્વતંત્ર અને તેના પ્રત્યેનો આદર આ મૂલ્યો વગર લોકશાહી નિષ્ફળ બની જાય એ સત્ય આપણે પૂરું સમજ્

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને

બેગમ રૂકૈયા સખાવત હુસૈને

બેગમ રૂકૈયા સખાવત હુસૈને દિકરીઓ માટે પ્રથમ શાળા બિહારમાં ખોલી હતી.બેગમ રૂકૈયા સખાવત હુસૈને બિહારના ભાગલપુરમાં આવી પ્રથમ શાળા ખોલી હતી, જે માત્ર દિકરીઓના શિક્ષણ માટે હતી. તેમણે ઘણી નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ પણ લખી હતી. તેમનું ‘સુલ્તાનાઝ ડ્રીમ્સ’ ખૂબ જ પ્રખ્યાત પુસ્તક રહ્યું હતું. મહિલાઓના અધિકારો માટે લડનારા બેગમ રૂકૈયાનો જન્મ 9 ડિસેમ્બર 1880ના રોજ ઉત્તર બંગાળના રંગપુર જિલ્લાના પૈરાબંદ વિસ્તારમાં થયો હતો. તેમના પિતા ઝહીરુદ્દીન મોહમ્મદ અબુ અલી હુસેન સાબેર વિસ્તારના જમીનદાર હતા. તેમની માતાનું નામ રહેતુન્નિસા સાબેરા ચૌધરાણી હતું. આ વિસ્તાર હવે બાંગ્લાદેશમાં ગયો છે. જ્યારે રૂકૈયાનો જન્મ થયો, ત્યારે બંગાળના મુસ્લિમ પુરુષોમાં શાળાકીય શિક્ષણ શરૂ થઈ ગયું હતું. પરંતુ ઘરના વર્તુળમાં રહેલી મહિલાઓ સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચ્યો ન હતો. બંગાળના સમૃદ્ધ મુસ્લિમ ઘરોમાં મહિલાઓને માત્ર ધાર્મિક શિક્ષણ જ આપવામાં આવતું હતું. રુકૈયાના બે ભાઈ કોલકાતામાં ભણતા હતા. મોટી બહેનને પણ ભણવાનો શોખ હતો. મોટા ભાઈએ ઘરના વડીલો પાસેથી ગુપ્ત રીતે રૂકૈયાને અંગ્રેજી, બંગાળી અને ઉર્દૂ શીખવ્યું. રુકૈયા લખે છે, 'મેં ક્યારેય કો

યશપાલ શર્મા - દિલીપકુમાર

  ૧૯૮૧માં દિલીપ કુમારની ફિલ્મ 'ક્રાંતિ' રિલીઝ થાય છે જે યશપાલ શર્માને ખુબ ગમતી હોય છે અને વારંવાર આ ફિલ્મ નિહાળતા.. ત્યારે સંદીપ પાટીલ યશપાલને પૂછે છે કે 'ક્રાંતિ' ફિલ્મ આટલી કેમ પસંદ છે? યશપાલ શર્માનો જવાબ હોય છે કે આની પાછળ પણ એક કિસ્સો છે. તેઓની પસંદગી ક્રિકેટમાં થવા પાછળ દિલીપકુમાર કારણભૂત છે.તેમણે જ ક્રિકેટમાં મારી કારકિર્દી બનાવી છે.તેઓ દિલીપકુમારને યુસુફભાઈ કરીને બોલાવતા. સંદીપ પાટીલે પૂછ્યું કે એવું કેવી રીતે? તો યશપાલે જવાબ આપ્યો કે જ્યારે રણજી ટ્રોફી રમતો હતો ત્યારે એક વખત એક મેદાન પર મેચ રમી રહ્યો હતો તે મેદાનના ડાયરેક્ટર દિલીપકુમાર હતા. એ મેદાન પર જ્યારે તેઓ રણજી મેચ રમી રહ્યા હતા અને પોતે 80 રનના સ્કોર પર હતા ત્યારે અચાનક ત્રણ-ચાર વીઆઈપી ગાડીઓ આવે છે,એક ગાડીમાંથી દિલીપકુમાર ઉતરે છે અને મેચ નિહાળે છે.એ દરમિયાન યશપાલ સેન્ચ્યુરી મારે છે.દિલીપકુમાર એમને તાળીઓથી વધાવી ઉત્સાહ પુરો પાડે છે. મેચ પછી તેમને ઓફીસમાં બોલાવવામાં આવે છે અને સામે દિલીપ કુમાર ઊભા હોય છે.. અભિનંદન આપી હાથ મિલાવે છે અને કહે છે કે તારામાં દમ છે.તારા વિશે આગળ વાત કરશે.દિલીપકુમાર રાજસિંહ ડુંગ

રાજ કપૂર

"કલ ખેલમેં હમ હોં ન હોં, ગર્દિશમેં તારે રહેંગે સદા, ભૂલોગે તુમ,ભૂલેંગે વો,પર હમ તુમ્હારે રહેંગે સદા..!" "કિસીકી મુસ્કુરાહટો પે હોં નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર, જીના ઈસી કા નામ હૈ..." જ્યારે રાજ કપૂરે મજરૂહ સુલતાનપુરીને એક ગીત માટે મોંઘી કિંમત ચૂકવી..!!! 1951માં એક સરસ દિવસ, ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શોમેન રાજ કપૂરે જબ દિલ હી ટૂટ ગયા ફેમ ગીતકાર મજરૂહ સુલતાનપુરી (અસરાર ઉલ હસન ખાન) નો સંપર્ક કર્યો અને તેમને 'દુનિયા બનાને વાલે ક્યા તેરે મન મે સમાઈ' શબ્દો સાથે ગીત લખવા કહ્યું.અને તેમને મહેનતાણું તરીકે રૂ. 1,000 ચૂકવ્યા. ચૂકવવામાં આવેલી રકમ પ્રચલિત દર કરતા લગભગ ચાર ગણી હતી અને ગીત કોઈપણ ફિલ્મ માટે નહોતું. રાજ કપૂરે કવિતા માટે આટલી મોટી કિંમત કેમ ચૂકવી? મજરૂહે યાદ કર્યું કે તે સમયે તેમની પત્નીને ગર્ભાવસ્થા હતી,તેણી બાળકની ચિંતા કરતી હતી અને પોતે પોલીસથી ફરાર ફરતા હતા. મજરૂહને તેમના આત્મસન્માનને ઠેસ પહોંચાડ્યા વિના તેમને મદદ કરવાની રાજ કપૂરની આ રીત હતી. પ્રતિભાશાળી ફિલ્મ નિર્માતા અને કુશળ અભિનેતા, દાદાસાહેબ ફાળકે પુરસ

સંત ગાડગે બાબા

  સંત ગાડગે બાબા, જેઓ પોતે ભણેલા ન હોવા છતાં, તેમના જીવનકાળમાં ઘણીબધી શાળાઓ ખોલી, જનસેવાના વ્રતને અપનાવીને સમાજમાં અંધશ્રદ્ધા નિવારણના સિદ્ધાંતો પ્રેરિત કરવા માટે અથાક મહેનત કરી અને સ્વચ્છતાને અત્યંત મહત્વ આપ્યું,. વંચિતો માટે પ્રેરણા અને બાબાસાહેબ તેમને પોતાના માર્ગદર્શક પણ કહેતા હતા. દેબુજી ઝીંગરજી જાનોરકર (ફેબ્રુઆરી 23, 1876 - 20 ડિસેમ્બર, 1956), બાબા ગાડગે તરીકે વધુ જાણીતા, એક મહાન સંત અને સમાજ સુધારક હતા. ગાડગે મહારાજ જે કહેતા હતા કે શિક્ષણ એ ઘણી મોટી વસ્તુ છે. પૈસાની તંગી હોય તો ખાવાના વાસણો વેચી મારો,મહિલાઓ માટે સસ્તા કપડાં ખરીદો. તૂટેલા-ફૂટેલા જર્જરિત મકાનમાં રહી લો, પણ બાળકોને શિક્ષણ આપ્યા વિના રહેવું નહીં. જેમના પર આધુનિક ભારતને ગર્વ હોવો જોઈએ એવા ગણ્યાગાંઠ્યા સંતોમાં ગાડગે બાબાનું નામ પણ સામેલ છે.માનવતાના સાચા શુભચિંતક, સામાજિક સમરસતાના પ્રતીક બાબાને હાર્દિક આદરણાંજલી.. _/\_

અફઘાનિસ્તાનમાં છોકરીઓ માટે યુનિવર્સિટી શિક્ષણ લેવા પર અનિશ્ચિત મુદતનો પ્રતિબંધ

તાલિબાને અફઘાનિસ્તાનમાં છોકરીઓ માટે યુનિવર્સિટી શિક્ષણ લેવા પર અનિશ્ચિત મુદતનો પ્રતિબંધ મૂક્યો.ભયાનક સમાચાર. આ મહિલાઓ વિરૂદ્ધ ઘૃણાસ્પદ અપરાધ છે અને તે સંપૂર્ણપણે ગેર-ઇસ્લામિક છે. 2021 માં શાસન હસ્તગત કરતાં શરૂઆતમાં જ તાલિબાને દાવો કર્યો હતો કે તેઓ "ઇસ્લામની મર્યાદાઓ હેઠળ" મહિલાઓના અધિકારોની ખાતરી આપશે. પરંતુ હકીકતમાં તેઓએ અફઘાનિસ્તાનમાં મહિલાઓના જીવનને નર્ક બનાવી દીધું છે.તેમને યુનિવર્સિટી શિક્ષણ પ્રાપ્ત કરવા પર પ્રતિબંધ સૌથી તાજેતરનો અત્યાચાર છે.ત્યાં રહેતી એક મુસ્લિમ મહિલાઓ માટે આ અત્યાચારો અને તે પણ ઈસ્લામના નામે ! શું હાલ હશે મહિલાઓના ! ઇસ્લામ મહિલાઓ માટે જે ગેરંટી આપે છે એ વાતથી તાલિબાન અજાણ હોય એ માન્યામાં નથી આવતું.આવા કહેવાતા ઇસ્લામના રક્ષકોને ઇસ્લામ ખરેખર શું શીખામણ આપે છે તેની જ જાણ-સમજ નથી.! 1400 વર્ષ પહેલાં પયગમ્બરે જાહેર કર્યું હતું કે "શિક્ષણ દરેક મુસ્લિમ મહિલા અને પુરુષ પર ફરજિયાત છે." શિક્ષણ માત્ર મારો અધિકાર નથી, મારી ફરજ છે. પયગંબરના પત્ની હઝરત આયશા(રદિ.) એક તેજસ્વી વિદ્વાન અને ન્યાયશાસ્ત્રી હતા. તેમના કારણે આપણી પાસે ઘણી ઇસ્લામિક વિદ્વત્તા છે.તદુપ

ખેડૂત દિવસ :જન્મજયંતિ ચૌધરી ચરણ સિંહ : ૨૩ ડિસેમ્બર

"ખેડૂતની એક આંખ હળ પર અને બીજી દિલ્હી પર હોવી જોઈએ" "ખેડૂત આ દેશનો ધણી છે, પણ તે પોતાની તાકાત ભૂલી ગયો છે" "ભ્રષ્ટાચારની કોઈ સીમા નથી,જે દેશના લોકો ભ્રષ્ટ હશે,ભલે ગમે તે નેતા આવે,ભલે તમે ગમે તેટલો સારા કાર્યક્રમો ચલાવો...તે દેશ પ્રગતિ કરી શકશે નહીં." સ્વતંત્રતા પૂર્વેના આંદોલનોમાં ભાગ લેનારા, સ્વતંત્રતા પછી ભારતીય લોકદળના નેતા, બે વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી,કેન્દ્રીય મંત્રી-ગૃહમંત્રી રહી ચૂકેલા અને ૧૯૭૯માં મોરારજી દેસાઈની સરકાર પડી ગયા પછી કોગ્રેસના સમર્થનથી થોડાક જ સમયગાળા માટે વડા પ્રધાન બનેલા કે જેમને એકપણ સંસદ સત્રમાં હાજર રહેવાની તક ન હોતી મળી એવા ચૌધરી ચરણ સિંહ એક મહાન નેતા, રાજકારણી અને સામાજિક કાર્યકર હતા.ભલે તેઓ થોડા સમય માટે જ પ્રધાનમંત્રી પદ પર રહ્યા, પરંતુ તેમણે વૈચારિક તથા ચારિત્ર્યિક સ્તર પર દ્રઢતા બતાવી.તેમની મુખ્ય ઉપલબ્ધિઓમાં લેખપાલનું સર્જન, અનાજ યોજના લાગું,ટોચ મર્યાદા અધિનિયમ ૧૯૬૦ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા વગેરે. મહાત્મા ગાંધી, સ્વામી દયાનંદ સરસ્વતી તથા સરદાર વલ્લભભાઈ પટેલના દર્શનથી પ્રભાવિત સાદું જીવન જીવતા હતા અને આખું જીવન ગ્રામી

નારાયણભાઈ દેસાઈ

નારાયણ મહાદેવભાઈ દેસાઈ(જન્મ. ૨૪ ડિસેમ્બર ૧૯૨૪ : મૃત્યુ. ૧૫ માર્ચ ૨૦૧૫) જેટલા ચરિત્ર-લેખક તરીકે જાણીતા છે એટલા જ, અનેક સ્થળે પ્રેરક અને રસપ્રદ ગાંધીકથા કહેનાર તરીકે જાણીતા છે. વેડછી(દ. ગુજ.)ના સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય-ને પોતાનું કર્મસ્થાન બનાવીને એક શિક્ષક અને કાર્યકર-સંચાલક તરીકે મહત્ત્વની કામગીરી બજાવતા નારાયણભાઈએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પણ ગાંધીવિચાર-સંચારક તરીકે કામ કર્યું. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા. `અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' માટે સાહિત્ય અકાદેમી(દિલ્લી)ના ઍવોર્ડ સહિત ઘણા પારિતોષિકોથી સન્માન પામ્યા. કેટલાક અનુવાદો તથા `મારું જીવન એ જ મારી વાણી' (ગાંધીજી વિશે, ૪ ભાગમાં) અને `અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'(મહાદેવ દેસાઈ વિશે) જેવા બૃહદ અને મોટી બાથ ભીડતા ચરિત્ર-ગ્રંથો એમનું મહત્ત્વનું સાહિત્ય-કાર્ય તેમ જ જીવન-કાર્ય છે. `અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' (૧૯૯૨) ૧૫૦૦ પાનાંમાં વિસ્તરેલું આ ચરિત્ર જેટલું પ્રસાદિક છે તેટલું જ તટસ્થ રીતે લખાયેલું છે. પિતાના ચરિત્ર લેખે એ જેવું અધિકૃત(ઑથેન્ટિક) છે એવું જ મહાદેવ-ચરિત્ર લેખે એ સર્વગ્રાહી છે. મહાદેવભાઈના સાક્ષાત્ પર

તુમ મુઝે યું ભૂલા ન પાઓગે

  હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 'તાનસેન', પોતાના સુરીલા અવાજના જાદુથી મંત્રમુગ્ધ કરનાર 'શહંશાહ-એ-તરન્નુમ' રફી સાહબ દ્વારા ગાયેલા મનમોહક ગીતો સંગીતપ્રેમીઓના હૃદયને મોહતા રાખશે.૯ વર્ષના હતા ત્યારે ગીતો ગણગણતા લોકોના વાળ કાપતા,૧૩ વર્ષની નાની ઉંમરથી શરુ થયેલ સફરમાં ૨૬ હજાર ગીતો ગાયા. તેમના ગીતોમાં સાદગી, પ્રામાણિકતા, રુમાનિયત, દર્દ અને પસંદગી છે.ગીત, ભજન, શાસ્ત્રીય શૈલીમાં તમારો અવાજ સંગીત જગતનો વારસો છે.તેમના ગીતો દ્વારા તેમને સદીઓ સુધી યાદ કરવામાં આવશે.. 70ના દાયકામાં નૌશાદે એક રેડિયો ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "મેં સૌથી મોટામાં મોટા ગાયકોને સુરોથી હટતા જોયા છે. એક એકલા મોહમ્મદ રફી છે જેમણે તેમને ક્યારેય સુરોથી દૂર જતા જોયા નથી." નૌશાદે કહેલ કે, "રફી અને હું હંમેશા એક હતા. તેમના ગયા પછી, હું માત્ર 50% જ બચ્યો. હું અલ્લાહને પ્રાર્થના કરીશ કે રફીને આ દુનિયામાં માત્ર એક કલાક માટે જ મોકલે જેથી હું મારી શ્રેષ્ઠ સંગીત રચના કરી શકું." જ્યારે ભારત વિભાજનના આઘાતમાંથી બહાર આવી રહ્યું હતું ત્યારે મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજેન્દ્